દેશમાં 4.25%નો ફુગાવા દર છતાં ડિસઇન્ફ્લેશનની પ્રક્રિયા લાંબી ચાલશે

દેશમાં 4.25%નો ફુગાવા દર છતાં ડિસઇન્ફ્લેશનની પ્રક્રિયા લાંબી ચાલશે

દેશમાં મે મહિનામાં મોંઘવારી દર 4.25 ટકા સાથે 25 મહિનાના નીચલા સ્તરે હોવા છતાં રિટેલ ડિઇન્ફેલ્શનની પ્રક્રિયા ધીમી અને લાંબી રહેશે તેવું આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસનું નિવેદન આશ્ચર્યજનક લાગે છે. ફુગાવો RBIના લક્ષ્યાંકની ખૂબ નજીક છે પરંતુ તેમ છતાં ગવર્નરે કહ્યું હતું કે રિઝર્વ બેન્ક માત્ર મધ્યમ સમયગાળા દરમિયાન જ ફુગાવાના લક્ષ્ય સુધી પહોંચી શકશે. તે એ માટે પણ વધુ આશ્ચર્યજનક છે કારણ કે WPI પણ મે મહિનામાં 3.48 ટકાના સ્તરે સતત બીજા મહિને ડિઇન્ફેલશન હેઠળ હતો.

જો કે, આંકડાઓ પર ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરવામાં આવે તો RBI ગવર્નરનું નિવેદન યોગ્ય હોવાનું જાણવા મળે છે. મે મહિનામાં જ્યાં એક તરફ છૂટક ખાદ્ય અને ઇંધણ ફુગાવો ઘટ્યો હતો ત્યારે કોર ફુગાવો મે દરમિયાન આંશિક ઘટીને 5.7% થયો હતો જે એપ્રિલ દરમિયાન 5.8 ટકા હતો. મે દરમિયાન ખાદ્ય ફુગાવો 2.91 ટકા સાથે 18 મહિનાના તળિયે હતો અને વીજળી-ઇંધણ ફુગાવો પણ 4.64 ટકા સાથે 26 મહિનાના નીચલા સ્તરે હતો. જો કે કોર ફુગાવાનો દર લગભગ 29 મહિના સુધી 5-6.5 ટકાની રેન્જ વચ્ચે રહ્યો હતો.

અહીં મુખ્ય ફુગાવાની ગણતરી ખાદ્ય ચીજવસ્તુઓ, ઈંધણને બહાર રાખીને કરવામાં આવી છે. કોર ફુગાવામાં આંશિક ઘટાડો થયો છે ત્યારે બીજી તરફ અલનીનોની અસરને કારણે ચોમાસાને લઇને અનિશ્ચિતતા ખાદ્ય ફુગાવાને અસર કરી શકે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow