સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોયથી તારાજી

સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોયથી તારાજી

છેલ્લા 3-4 દિવસથી બિપરજોય વાવાઝોડાની દહેશતે ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓની ઊંઘ ઉડાડી દીધી હતી. ગઇકાલે મોડી સાંજે 115-125 કિમીની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાએ જખૌમાં લેન્ડફોલ કરતા જ કચ્છ-ભુજ-માંડવીમાં ભારે તારાજી સર્જાઇ હતી. જામનગરના હાલારમાં 2થી 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માત્ર સૌરાષ્ટ્રમાં જ 4048 વીજપોલ, 80થી વધુ વૃક્ષો એક જ દિવસમાં ધરાશાયી થઇ ગયા. 1092 ગામોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાઇ. અહીં 36 કલાકમાં 515 વીજળીના થાંભલા પડી ગયા.

અબડાસા તાલુકાના નલિયા-ભુજ હાઇવે પર ભવાનીપર ગામ પાસે ભારે વરસાદમાં પુલ સહિત રસ્તો ધોવાઇ જતાં નલિયા સાથે જોડતો આ રસ્તો પરિવહન માટે બંધ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વાવાઝોડા જેવી કોઇ મોટી હોનારત કે ભારે વરસાદ ન હોવા છતાં આ પુલમાં એક તરફ ગાબડું પડતાં માર્ગ અવરોધાયો હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow