દેશમાં ઇવી ચાર્જરની માંગ 65%ના CAGRથી વધશે

દેશમાં ઇવી ચાર્જરની માંગ 65%ના CAGRથી વધશે

દેશભરમાં ઇવી (ઇલેક્ટ્રિક વ્હીકલ)ની સતત વધી રહેલી માંગને કારણે ઇવી ચાર્જરની સ્થાનિક માંગ વર્ષ 2030 સુધીમાં 65%ના CAGRથી વધીને 30 લાખ યુનિટ પર પહોંચશે. વર્ષ 2021 દરમિયાન ઇલેક્ટ્રિક વાહનોના 17,000 ઇવી ચાર્જરનું વેચાણ નોંધાયું હતું. કસ્ટમાઇઝ એનર્જી સોલ્યુશન્સ (CES) અને ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ (IESA)ના સંયુક્ત રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

ઇવી ચાર્જરની માંગ માટે સરકારની પહેલ તેમજ ખાનગી રોકાણમાં વૃદ્ધિ છે. કસ્ટમાઇઝ એનર્જી સોલ્યુશન્સના એમડી રાહુલ વાલવાકરે જમાવ્યું હતું કે દેશમાં ઇલેક્ટ્રોનિક ક્રાંતિ ચોંકવાનારી ગતિએ આગળ વધી રહી છે. સરકારની પોલિસી તેમજ ખાનગી રોકાણ સ્વચ્છ અને ગતિશિલ ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ દોરે છે.

વર્ષ 2022 દરમિયાન દેશમાં ઇવી ચાર્જરની માંગમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેનું કારણ જાહેર ક્ષેત્રના સાહસો જેમ કે કન્વઝરન્સ એનર્જી સર્વિસ લિમિટેડ, એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ લિમિટેડ, ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન લિમિટેડ અને કેરાલા સ્ટેટ ઇલેક્ટ્રિસિટિ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ટેન્ડર્સ છે, જેઓ વર્ષ 2023 દરમિયાન દેશભરમાં નવા અંદાજે 6,000 ચાર્જિંગ સ્ટેશન ઉમેરે તેવી શક્યતા છે

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow