ડાયરેક્ટ DCPનો ઓર્ડર કરાવી આપીશ 2.36 કરોડ આપો

ડાયરેક્ટ DCPનો ઓર્ડર કરાવી આપીશ 2.36 કરોડ આપો

રાજકોટ-અમદાવાદ હાઇવે પર નવાગામના રહેવાસી જીલુભાઈ ગમારાના પુત્રને પોલીસમાં PSI તેમજ DCPની નોકરી અપાવવાની લાલચ આપી 2.36 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર તરીકે જાણીતા વિવેક ઉર્ફે વીકી પ્રવિણભાઈ દવેને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે તેના સાથી હરિ ગમારા હાલ ફરાર છે. ફરિયાદીએ કુલ 2.36 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે, જેમાંથી 88 લાખ રૂપિયા પરત મળ્યા હતા, પરંતુ બાકીના 1.48 કરોડ રૂપિયા પરત ન મળતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે પાલીતાણાના બે ગઠિયાઓ સામે તાત્કાલિક ગુનો નોંધી ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરને ઝડપી પાડ્યો છે. તપાસ અર્થે કોર્ટમાંથી પાંચ દિવસનો રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસે ફરાર સાગરીતની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ નજીક નવાગામમાં રહેતા જીલુભાઈ ભગાભાઈ ગમારાએ તેના પરિચિત પાલીતાણાના ઘેડી ગામે રહેતા હરિભાઈ રાજાભાઈ ગમારા અને પાલીતાણા ગામનો વિવેક ઉર્ફે વીકી પ્રવિણભાઈ દવે સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલા દ્વારકા દર્શન કરવા ગયા ત્યારે તેની જ્ઞાતિના હરી ગમારા સાથે પરિચય થયો હતો. બાદમાં અવારનવાર ફોનમાં વાતચીત થતી હતી અને પારિવારિક સંબંધ થયા હતા.

ત્રણ વર્ષ પહેલા હરિ ઘરે આવ્યો હતો ત્યારે તેણે કહ્યું કે, હમણા પોલીસ ખાતામાં PSIની ભરતી ચાલુ છે. તમારા દીકરા રાહુલને PSI બનાવવો હોય તો અમારા વિસ્તારમાં રહેતા વિવેક દવે મારા મિત્ર છે અને તેની રાજકીય નેતાઓ સાથે ઉઠક બેઠક છે. જેથી, તેને વાત કરવાથી તમારા પુત્રને PSIની નોકરી મળી રહેશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow