દાંતીવાડા કૃષિ યુનિ. વિદ્યાર્થીઓને સાઇકલ આપશે

દાંતીવાડા કૃષિ યુનિ. વિદ્યાર્થીઓને સાઇકલ આપશે

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટી પૈકીની બનાસકાંઠાસ્થિત દાંતીવાડા યુનિવર્સિટીએ કેમ્પસને ગ્રીન અને પ્રદૂષણમુક્ત બનાવવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાઇકલ આપવાનું શરૂ કર્યું છે. બીજી બાજુ 5 સપ્ટેમ્બરથી કેમ્પસમાં વિદ્યાર્થીઓના ટૂ કે ફોર વ્હીલરના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર હોસ્ટેલના ચીફ વોર્ડને જારી કરતાં વિવાદ ઊભો થયો છે. જોકે યુનિવર્સિટીના સ્ટાફ, બસ અને મહેમાનોનાં વાહનો કૅમ્પસમાં આવી શકશે.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 1895 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, જેમાંથી મોટા ભાગના હોસ્ટેલમાં રહે છે. 12 કિલોમીટરમાં ફેલાયેલા કૅમ્પસમાં વિદ્યાર્થીઓને પાક સંશોધન, શાકભાજી સહિતના નવા-નવા પ્રયોગો માટે ફરવું પડે છે. જોકે ચીફ વોર્ડને પરિપત્ર બહાર પાડી 5 સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓને કેમ્પસમાં ટૂ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો લઈને આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. જે વિદ્યાર્થીઓનાં વાહનો અંદર પડ્યાં છે તેમને પણ ઘરે મૂકી દેવા કહેવાયું છે. 5 સપ્ટેમ્બર પછી વાહન જપ્ત કરી લેવાનો ઉલ્લેખ કરાયો છે. વિદ્યાર્થીઓના હિસાબે થર્ડ યર, એમએસસી અને પીએચડી કરતા વિદ્યાર્થીઓને સાઇકલો નથી અપાઈ. આ વિદ્યાર્થીઓને ફિલ્ડમાં વધારે જવું પડે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow