દાંતીવાડા કૃષિ યુનિ. વિદ્યાર્થીઓને સાઇકલ આપશે

દાંતીવાડા કૃષિ યુનિ. વિદ્યાર્થીઓને સાઇકલ આપશે

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટી પૈકીની બનાસકાંઠાસ્થિત દાંતીવાડા યુનિવર્સિટીએ કેમ્પસને ગ્રીન અને પ્રદૂષણમુક્ત બનાવવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાઇકલ આપવાનું શરૂ કર્યું છે. બીજી બાજુ 5 સપ્ટેમ્બરથી કેમ્પસમાં વિદ્યાર્થીઓના ટૂ કે ફોર વ્હીલરના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર હોસ્ટેલના ચીફ વોર્ડને જારી કરતાં વિવાદ ઊભો થયો છે. જોકે યુનિવર્સિટીના સ્ટાફ, બસ અને મહેમાનોનાં વાહનો કૅમ્પસમાં આવી શકશે.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 1895 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, જેમાંથી મોટા ભાગના હોસ્ટેલમાં રહે છે. 12 કિલોમીટરમાં ફેલાયેલા કૅમ્પસમાં વિદ્યાર્થીઓને પાક સંશોધન, શાકભાજી સહિતના નવા-નવા પ્રયોગો માટે ફરવું પડે છે. જોકે ચીફ વોર્ડને પરિપત્ર બહાર પાડી 5 સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓને કેમ્પસમાં ટૂ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો લઈને આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. જે વિદ્યાર્થીઓનાં વાહનો અંદર પડ્યાં છે તેમને પણ ઘરે મૂકી દેવા કહેવાયું છે. 5 સપ્ટેમ્બર પછી વાહન જપ્ત કરી લેવાનો ઉલ્લેખ કરાયો છે. વિદ્યાર્થીઓના હિસાબે થર્ડ યર, એમએસસી અને પીએચડી કરતા વિદ્યાર્થીઓને સાઇકલો નથી અપાઈ. આ વિદ્યાર્થીઓને ફિલ્ડમાં વધારે જવું પડે છે.

Read more

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow
રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુ

By Gujaratnow