દરરોજ ડ્રાયરના ઉપયોગના કારણે વાળ થઈ ગયા છે ડેમેજ? અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, હેર બનશે સિલ્કી અને શાઈની

દરરોજ ડ્રાયરના ઉપયોગના કારણે વાળ થઈ ગયા છે ડેમેજ? અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, હેર બનશે સિલ્કી અને શાઈની

આજ કાલ લોકો વાળને લઈને ઘણા એક્સપેરિમેન્ટ કરે છે. જેની અસર વાળ પર પડે છે. મોટાભાગના લોકો તેમના વાળને વોલ્યુમ આપવા, સ્ટાઇલ કરવા અને સૂકવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કે ડ્રાયરનો ઉપયોગ કરે છે. જેના કારણે વાળ શુષ્ક થઈ જાય છે.

એવામાં જો તમારા વાળ ડેમેજ થઈ ગયા છે. તો તમારે તેમની ખાસ કાળજી લેવી જોઈએ. એવામાં તમે ડેમેજ હેરને સુધારવા માટે કેટલાક ઉપાયો અપનાવી શકો છો. ચાલો અમે તમને જણાવીએ કે ડ્રાય વાળને ઠીક કરવા માટે તમારે શું કરવું જોઈએ?

આ રીતે ડ્રાય વાળને કરો ઠીક


દહીં
દહીં વાળ માટે કન્ડિશનરનું કામ કરે છે. તે વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર કરે છે. આ માટે દહીંમાં એક ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને વાળમાં લગાવો. આમ કરવાથી તમારા વાળમાં ચમક આવશે.

એલોવેરા
વાળને પોષણ આપવાનો શ્રેષ્ઠ અને સરળ રસ્તો એલોવેરાનો ઉપયોગ છે. એલોવેરા આપણી ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક છે. વાળમાં તેનો ઉપયોગ કરવા માટે તમે એલોવેરાના તાજા પાંદડામાંથી તેનો રસ કાઢીને વાળમાં લગાવી શકો છો. આમ કરવાથી તમારા વાળમાં ચમક આવશે.

ઈંડુ
ડેમેજ વાળને પોષણ આપવા માટે તમે ઇંડાનો ઉપયોગ કરી શકો છો. ઈંડામાં પ્રોટીન હોય છે જે વાળના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આ માટે અઠવાડિયામાં એકવાર વાળ પર એગ હેર માસ્ક જરૂર લગાવો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow