દાહોદ-ગોધરા હાઇવે બે કલાક બંધ રહ્યો

દાહોદ-ગોધરા હાઇવે બે કલાક બંધ રહ્યો

દાહોદ-ગોધરા હાઇવે ઉપર રામપુરા ગામ નજીક બે વાહનો વચ્ચેની અથડામણ બાદ એક ટ્રકના કેબિનમાં આગ ફાટી નીકળી હતી. ત્યારે ટક્કરને કારણે ટ્રકથી જુદા થઇ ગયેલા કેબિનમાં ફસાઇ ગયેલો ચાલક બહાર નહીં નીકળી શકતાં તે જીવતો જ ભડથુ થઇ ગયો હતો. હાઇવે બે કલાક સુધી બંધ થઇ ગયો હતો. બંને વાહનોની તરફ ત્રણ કિમી લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી. લાશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવ્યા બાદ ક્રેઇન મંગાવીને ટ્રકો એક તરફ કરાતા ધીમે-ધીમે એક તરફનો માર્ગ શરૂ કર્યો હતો.

દાહોદ શહેર નજીક દાહોદ-ગોધરા હાઇવે ઉપર સાંજના સમયે ભીષણ અકસ્માત સર્જાયો હતો. તેમાં ઉડીસાથી સળિયા ભરીને મુંદ્રા જઇ રહેલી ટ્રક હંકારતા પંજાબના અમૃતસરના સહેજાદા ગામના ચાલક બલવીરસિંહ જાટને ડીઝલ ભરાવવુ હતું. ત્યારે સાંજના 5.45 વાગ્યાના અરસામાં રામપુરા ગામે ડીઝલ પંપે જવા માટે તે ટ્રકનો યુટર્ન મારી રહ્યો હતો. તે વખતે લીમખેડાથી હાઇડ્રોજન ગેસના ખાલી બોટલ ભરેલી પુરપાટ આવતી ટ્રકનો ચાલક કાબૂ નહીં કરી શકતાં તેણે સળિયા ભરેલી ટ્રકના કેબિનને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કરથી કેબીન ટ્રકથી જુદુ થઇ ગયુ હતું.

ટક્કર વાગતા જ ટ્રક માં આગ ફાટી નીકળી હતી. કેબીનની નીચે ફસાયેલો બલવીંરસિંહ બહાર નીકળી નહીં શકતાં તે અંદર જ જીવતો ભડથુ થ યો હતો. તાલુકા પોલીસ અને લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે જઇને પરીસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. લાશ્કરોએ પાણીનો મારો કરીને ભયંકર રીતે ફેલાઇ ગયેલી આગને કાબૂમાં લીધી હતી.

ભયંકર અકસ્માત પગલે હાઇવે ઉપર બંને તરફનો ટ્રાફિક રોકી દેવામાં આવતાં વાહનોની બંને તરફ પાંચ-પાંચ કિમી લાંબી કતારો લાગી ગઇ હતી. ઘટના પગલે હાઇવે બે કલાક સુધી બંધ રહ્યો હતો. ક્રેઇન મંગાવીને ટ્રકોને રસ્તેથી દૂર કર્યા બાદ ટ્રાફિકને ધીમે-ધીમે શરૂ કરવામાં આવ્યો હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow