હમાસ કમાન્ડરોના માથા કાપીને સરહદ પર લટકાવો : રામાસ્વામી

હમાસ કમાન્ડરોના માથા કાપીને સરહદ પર લટકાવો : રામાસ્વામી

અમેરિકાની રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં રહેલા વિવેક રામાસ્વામીએ કહ્યું- ઇઝરાયલે હમાસને ખતમ કરવા માટે પોતાની તમામ તાકાત વાપરવી જોઈએ. હમાસના 100 નેતાઓના માથા કાપીને ગાઝા સરહદ પર લટકાવી દેવામાં આવે. આ એ વાતનું પ્રતીક છે કે ઈઝરાયલ પર 7 ઓક્ટોબર જેવો હુમલો ફરી ન થઈ શકે. આ પછી જ ઇઝરાયલે તેની સરહદ પર સંરક્ષણ મજબૂત બનાવવું જોઈએ.

તેમણે કહ્યું- મને પૂરો વિશ્વાસ છે કે જો IDFને તક મળે છે, તો તે એકલા હાથે ઈઝરાયલની સુરક્ષા કરી શકે છે. હું અંગત રીતે આ ઓપરેશનની સફળતા માટે ઈચ્છું છું. ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો અને તેના અસ્તિત્વ માટે લડવાનો સંપૂર્ણ અધિકાર છે.

બીજી તરફ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો તેઓ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે તો તેઓ પહેલા દિવસથી જ મુસ્લિમો પર ટ્રાવેલ પ્રતિબંધ લાગુ કરશે. શનિવારે રિપબ્લિકન યહૂદી કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું- અમે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદીઓને અમારા દેશમાંથી બહાર રાખીશું.

લાસ વેગાસમાં આ ઈવેન્ટ દરમિયાન ટ્રમ્પે કહ્યું- અમે અમારા મિત્ર અને ભાગીદાર ઈઝરાયલની એવી રક્ષા કરીશું જે રીતે પહેલા કોઈએ કરી નથી. હમાસ અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ વાસ્તવમાં અસંસ્કારીતા, ભ્રષ્ટાચાર પર શાલીનતા અને દુષ્ટતા પર સારાની લડાઈ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow