ચાલુ ખાતાની ખાધ FY23ના ચોથા ક્વાર્ટરમાં ઘટીને જીડીપીના 0.2 ટકા

ચાલુ ખાતાની ખાધ FY23ના ચોથા ક્વાર્ટરમાં ઘટીને જીડીપીના 0.2 ટકા

દેશમાં નાણાકીય વર્ષ 2023ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં વેપાર ખાધમાં આંશિક ઘટાડો તેમજ સેવા નિકાસમાં મજબૂત વૃદ્ધિને પગલે દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) ઘટીને જીડીપીના 0.2% અથવા $1.3 અબજ નોંધાઇ છે. RBI અનુસાર દેશની ચાલુ ખાતાની ખાધ વર્ષ અગાઉના $13.4 અબજ, વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરના $16.8 અબજથી ઘટીને વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં ઘટીને $1.3 અબજ નોંધાઇ છે.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી આયાત-નિકાસ વેપારમાં ઘટાડો રહ્યો છે. જોકે, નિકાસ વેપાર ઘટવાના કારણે દેશની ચાલુ ખાતાની ખાદ્ય પર મોટી અસર જોવા મળી નથી. તમામ સેગમેન્ટમાં દેશમાં આયાત પરની નિર્ભરતા ઘટવા લાગી છે પરંતું વૈશ્વિક આર્થિક સંકટના કારણે નિકાસ વેપારમાં જે વૃદ્ધિ થવી જોઇએ તે થતી નથી જેના કારણે ચાલુ ખાતાની ખાદ્યમાં મોટો ફરક જોવા મળ્યો નથી. ગત નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર દરમિયાન CADમાં ક્રમિક રીતે ઘટાડો મુખ્યત્વે દેશની વેપાર ખાધમાં થયેલા ઘટાડાને કારણે નોંધાયો છે. દેશની વેપાર ખાધ ગત ક્વાર્ટરના $71.3 અબજથી ઘટીને ચોથા ક્વાર્ટર દરમિયાન $52.6 અબજ નોંધાઇ હતી. દેશની સેવા નિકાસમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. કમ્પ્યુટર સર્વિસમાં આવકમાં વૃદ્ધિને કારણે વાર્ષિક અને ક્રમિક રીતે નેટ સર્વિસ રીસિપ્ટ્સમાં પણ વધારો જોવા મળ્યો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow