ક્રૂડ 43% સસ્તું, પેટ્રોલના ભાવ 5% પણ ઘટ્યા નથી

ક્રૂડ 43% સસ્તું, પેટ્રોલના ભાવ 5% પણ ઘટ્યા નથી

ક્રૂડની કિંમતોમાં શુક્રવારે ઘટાડો થયો હતો. હવે આંતરmરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલ બેરલદીઠ 79.61 ડૉલર થયું છે. અગાઉ 28 સપ્ટેમ્બર, 2021ના રોજ આ સ્તર હતું. આ જ વર્ષે 7 માર્ચના રોજ ક્રૂડ ઓઇલની કિંમત બેરલદીઠ 139.13 ડોલર સુધી પહોંચી હતી. એ રીતે જોઇએ તો અત્યાર સુધી ક્રૂડ 42.8% સસ્તું થયું છે.

બીજી તરફ, પેટ્રોલ-ડીઝલની કિંમત 5% પણ ઘટી નથી. સપ્ટેમ્બરમાં દિલ્હીમાં પેટ્રોલ 101 રૂ. પ્રતિ લિ. હતું, અત્યારે 97 રૂ./લિ. છે. વાસ્તવમાં, સપ્લાયને લઇને અનિશ્ચિતતા ઓછી થવાથી ક્રૂડ ઓઇલની માંગ ઘટવા લાગી છે. તેનાથી કિંમત પર અસર થઇ છે. હાલ દેશના વિવિધ ભાગોમાં પેટ્ોલના ભાવ પ્રતિ લિટર 92થી 100 રૂપિયા સુધી છે.

આ કારણસર કિંમત ઘટી રહી છે

  1. માંગને લઇને ચિંતા: મોંઘવારી અનેક દાયકાના ઉચ્ચ સ્તર પર પહોંચવાથી યુરોપ અને US જેવા વિકસિત દેશોએ વ્યાજદરો વધાર્યા છે. તેનાથી ક્રૂડ ઓઇલની માંગ ઘટવાની આશંકા છે.
  2. ચીનમાં અનિશ્ચિતતા: ચીનમાં કોરોનાના પ્રતિબંધોમાં છૂટ બાદ ત્યાં મોટા પાયે સંક્રમણ ફેલાવાની આશંકા છે. જેને કારણે ત્યાં ક્રૂડની માંગ ઘટવાની વકી છે.
  3. રશિયામાં સામાન્ય ઉત્પાદન: પશ્ચિમી દેશોએ રશિયન ક્રૂડ માટે 60 ડોલર/બેરલની ઉચ્ચ મૂલ્યમર્યાદા નક્કી કરી છે પરંતુ, રશિયન ઓઇલની નિકાસ અવરોધાય તેવી આશંકા નથી. ત્યાં તેનું સામાન્ય ઉત્પાદન છે. ભારત પણ રશિયા પાસેથી આ દરે ક્રુડ મેળવે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow