દિવસ-રાત મહેનતથી પાક પકવ્યો પણ છેલ્લે રાતાપાણીએ રોવાનો વારો, ભાવનગરમાં ખેડૂતોમાં ભારે નિરાશા

દિવસ-રાત મહેનતથી પાક પકવ્યો પણ છેલ્લે રાતાપાણીએ રોવાનો વારો, ભાવનગરમાં ખેડૂતોમાં ભારે નિરાશા

ભાવનગરમાં એક અંદાજ મુજબ 30 થી 40 હાજર હેક્ટરમાં ડુંગળી નું વાવેતર થાય છે જે રાજયમાં સૌથી વધુ છે અને રાજ્યમાં ઉત્પાદિત થતી ડુંગળી ના 50 ટકા વાવેતર માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે ભાવનગરમાં ઘોઘા ,તળાજા ,મહુવા સહિત ના વિસ્તરામાં ડુંગળી નું વાવેતર થાય છે

યાર્ડમાં મોટા પાયે ડુંગળીની આવક

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મોટા પાયે ડુંગળીની આવક થઈ છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 40 હજાર બોરી ડુંગળી લઇ ખેડૂતો આવી માટે આવી રહ્યા છે.  

ત્યારે હવે માર્કેટિંગ યાર્ડમાં વધુ ડુંગળી આવતા ડુંગળીને મુકવાની જગ્યા ઓછી પડી છે. જેથી જગ્યાનો પ્રશ્ન ઉભો થયો છે..  

તો માર્કેટિંગ યાર્ડના સંચાલકોએ યાર્ડ પાસેની એક પડતર સરકરી જગ્યામાં ડુંગળી ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ જગ્યામાં ડુંગળી ઉતારવા માટે કમ્પાઉન્ડ સહિત અન્ય સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. વેપારીઓનું કહેવું છે કે ખેડૂતોને ડુંગળીના ભાવ ઓછા મળી રહ્યાં છે. તો બીજી તરફ જો યાર્ડમાં હજુ પણ ડુંગળી આવતા ખેડૂતોને ડુંગળીના હાલ કરતા પણ ઓછા ભાવ મળી શકે છે‌‌‌‌  

ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા‌‌‌‌

એક તરફ મોંઘાદાટ બિયારણો બીજીબાજુ મોંઘી મજૂરી અને ગત વર્ષે ભાવનગર જિલ્લામાં થયેલા પાછોતરા વરસાદના કારણે ડુંગળીના પાકને નુકશાની થઈ છે. જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે.  

તો બીજીબાજુ ખેડૂતોને હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો 20 કિલોના 100 રૂપિયાથી લઇને 300 રૂપિયા સુધીના મળી રહ્યાં છે જે તેમના ઉત્પાદન ખર્ચ કરતા સાવ ઓછા છે. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે જો અમને જયારે માલ વહેંચવા આવીયે ત્યારે મિનિમમ  500  રૂપિયાનો ભાવ મળે તો જ અમને ફાયદો થાય છે નહિતર ખેડૂતોને રાતાપાણી એ રોવાનો વારો આવશે

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow