પાક. રાષ્ટ્રપતિ અલવી નજર કેદ, રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા વધારાઈ

પાક. રાષ્ટ્રપતિ અલવી નજર કેદ, રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા વધારાઈ

પાકિસ્તાનમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. સેના વડા આસિમ મુનીર પોતે ગોઠવેલા કાવતરામાં જ ફસાઈ રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડના માત્ર એક પખવાડિયા બાદ પાકિસ્તાની સેનાના નવ કમાન્ડરોમાંથી ચાર મુનીરના વિરોધી થઈ ગયા છે. આ કમાન્ડરોનું માનવું છે કે ઈમરાનની પાર્ટી પીટીઆઇના ટેકેદારો રસ્તા પર ઉતરી રહ્યા નથી પણ લોકોમાં સેના વિરુદ્ધ અંડરકરન્ટ જોવા મળી રહ્યો છે. જો પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં સ્થિતિ વણસી શકે છે.

આ દરમિયાન સેના અને સિક્રેટ એક્ટ કાયદાના બિલ પર સહી નહીં કરવાનું નિવેદન આપીને ચોંકાવનારા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલવી હાલ નજરકેદ જેવી સ્થિતિમાં છે. સંરક્ષણ ક્ષેત્રના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે અલવીનું સરકારી કામકાજ બ્રિગેડિયર રેન્કના અધિકારી સંભાળી રહ્યા છે. રવિવારે નિવેદન આપ્યા બાદ અલવી જાહેરમાં જોવા મળ્યા નથી. બીજી તરફ, રાષ્ટ્રપતિભવનમાં સૈનિકોની સંખ્યા પણ વધારવામાં આવી છે.

ઈમરાનનો ચૂંટણી લડવાનો નિર્ણય કોર્ટ કરશે
હવે શું: આઇએસઆઇ ચીફ અંજુમ પાસે ઉપાય છે | પાકિસ્તાનની સેનામાં નવ કમાન્ડર છે, જેમાંથી ચાર મુનીર વિરોધી બની ગયા છે. પાંચ હજુ પણ મુનીરની પડખે છે. સૂત્રોનું કહેવું છે કે આ પાંચ કમાન્ડરોમાં એક આઇએસઆઇ ચીફ નદીમ અંજુમ પણ છે. જો નદીમ પણ મુનીર વિરોધી બની જશે તો વિરોધીઓની સંખ્યા પાંચ થઈ જશે. એ પછી મુનીરની સત્તા ડગમગી જશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow