પાક. સરકાર-સેનાના નિશાના પર પીપીપી, નેતાઓ નો-ફ્લાય લિસ્ટમાં

પાક. સરકાર-સેનાના નિશાના પર પીપીપી, નેતાઓ નો-ફ્લાય લિસ્ટમાં

પાકિસ્તાનમાં તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાન બાદ હવે સત્તાધારી ગઠબંધનમાં સામેલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના નેતાઓ સેનાના નિશાના પર આવી ગયા છે. પીએમ શાહબાઝની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) પણ સેનાને સાથ આપી રહી છે. પીપીપી દેશમાં સમયસર ચૂંટણી યોજવા માટે લાંબા સમયથી અવાજ ઉઠાવી રહી છે. તેમની આ માંગ સેનાના માટે અડચણરૂપ બની. જેના કારણે સેના પ્રમુખ અસીમ મુનીરને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનમાં પીપીપીના નેતાઓને પણ ઝપટમાં લેવાની તક મળી છે. આ જ કારણ છે કે જે 100 લોકોનું નો-ફ્લાય લિસ્ટ જારી કરવામાં આવ્યું હતતું, તેમાં મોટા ભાગના પીપીપી સાથે જોડાયેલા લોકો છે. પીએમ શહેબાઝે કહ્યું કે નવાઝ 21 ઓક્ટોબરે દેશ પરત આવી શકે છે. જોકે આ તારીખ નક્કી નથી.

સેનામાંથી પીએલએલ-એનને હટાવવાની ઝરદારીની ચાલ નિષ્ફળ સાબિત થઈ
વિશ્લેષકોનું કહેવું છે કે 16 મહિનાથી સરકારમાં રહેલા પીપીપીના નેતા આસિફ અલી ઝરદારીએ બંધારણ મુજબ વિધાનસભા ભંગ થયાના 90 દિવસની અંદર ચૂંટણી કરાવવાની માગણી શરૂ કરી દીધી હતી. જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએલએલ-એન) પહેલા દિવસથી જ સેનાની સાથે છે. પીપીપીએ સેનાને પીએમએલ-એનથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. નવેમ્બરમાં ચૂંટણીની માંગ કરીને સેના પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. તેની વિપરીત અસર થઈ. પીએમએલ-એન સાથેના તેમના સંબંધો બગડ્યા. પીએમએલ-એન સેના સાથે જોડાયા.

Read more

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ ફરી એક વખત તેમના શાનદાર અંદાજથી લોકોનાં દિલ જીતી લીધાં છે. રોમમાં યુક્રેન રિકવરી કોન્ફરન્સમાં એડી રામા અને ઈટા

By Gujaratnow