પાક. સરકાર-સેનાના નિશાના પર પીપીપી, નેતાઓ નો-ફ્લાય લિસ્ટમાં

પાક. સરકાર-સેનાના નિશાના પર પીપીપી, નેતાઓ નો-ફ્લાય લિસ્ટમાં

પાકિસ્તાનમાં તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાન બાદ હવે સત્તાધારી ગઠબંધનમાં સામેલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના નેતાઓ સેનાના નિશાના પર આવી ગયા છે. પીએમ શાહબાઝની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) પણ સેનાને સાથ આપી રહી છે. પીપીપી દેશમાં સમયસર ચૂંટણી યોજવા માટે લાંબા સમયથી અવાજ ઉઠાવી રહી છે. તેમની આ માંગ સેનાના માટે અડચણરૂપ બની. જેના કારણે સેના પ્રમુખ અસીમ મુનીરને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનમાં પીપીપીના નેતાઓને પણ ઝપટમાં લેવાની તક મળી છે. આ જ કારણ છે કે જે 100 લોકોનું નો-ફ્લાય લિસ્ટ જારી કરવામાં આવ્યું હતતું, તેમાં મોટા ભાગના પીપીપી સાથે જોડાયેલા લોકો છે. પીએમ શહેબાઝે કહ્યું કે નવાઝ 21 ઓક્ટોબરે દેશ પરત આવી શકે છે. જોકે આ તારીખ નક્કી નથી.

સેનામાંથી પીએલએલ-એનને હટાવવાની ઝરદારીની ચાલ નિષ્ફળ સાબિત થઈ
વિશ્લેષકોનું કહેવું છે કે 16 મહિનાથી સરકારમાં રહેલા પીપીપીના નેતા આસિફ અલી ઝરદારીએ બંધારણ મુજબ વિધાનસભા ભંગ થયાના 90 દિવસની અંદર ચૂંટણી કરાવવાની માગણી શરૂ કરી દીધી હતી. જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએલએલ-એન) પહેલા દિવસથી જ સેનાની સાથે છે. પીપીપીએ સેનાને પીએમએલ-એનથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. નવેમ્બરમાં ચૂંટણીની માંગ કરીને સેના પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. તેની વિપરીત અસર થઈ. પીએમએલ-એન સાથેના તેમના સંબંધો બગડ્યા. પીએમએલ-એન સેના સાથે જોડાયા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow