પાક. PM શાહબાઝ શરીફની ચીન મુલાકાત

પાક. PM શાહબાઝ શરીફની ચીન મુલાકાત

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તેમની 2 દિવસીય મુલાકાતે ચીન પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ આજે CPEC જ્વાઈન્ટ કો-ઓપરેશનના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરશે. આ અંતર્ગત બંને દેશોએ કરાચી અને પેશાવર વચ્ચેના રેલ માર્ગના 10 અબજ ડોલરના પ્રોજેક્ટ (ML-1 પ્રોજેક્ટ) પર આગળ વધવાનો નિર્ણય કર્યો છે.

PM શાહબાઝ શરીફની આ મુલાકાત જિનપિંગ ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી કોઈપણ રાષ્ટ્રના વડાની પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન પાકિસ્તાન અને ચીન પોતાના સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

CPEC શું છે
ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી યોજના છે. તેની શરૂઆત 2013માં કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનના ગ્વાદરથી ચીનના કાશગર સુધી 50 અબજ ડોલર (લગભગ 3 લાખ કરોડ રૂપિયા)ના ખર્ચે આર્થિક કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. તેના દ્વારા ચીનને અરબી સમુદ્રમાં પ્રવેશ મળશે. CPEC અંતર્ગત ચીન રોડ, પોર્ટ, રેલવે અને એનર્જી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.

ઈમરાન સરકારે CPEC રદ કરવાની ઓફર હતી
એશિયા ટાઈમ્સે દાવો કર્યો હતો કે પાકિસ્તાનની ઈમરાન સરકારે 2022ની શરૂઆતમાં CPECને રદ કરવાની ઓફર કરી હતી. ઉપરાંત, ગ્વાદરમાં CPECનો વિરોધ થયો હતો, જેના કારણે આ પ્રોજેક્ટ બે વર્ષથી બંધ હતો. આનાથી ચીન ખૂબ નારાજ હતું. હવે શાહબાઝ સરકાર CPECને ફરીથી રજૂ કરીને ચીનની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

ચીનનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ
ચાઇનીઝ અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં એક ઓપિનિયન આર્ટિકલમાં શાહબાઝ શરીફે લખ્યું - પાકિસ્તાન ચીન માટે મેન્યુફેક્ચરિંગ બેસ અને તેના ઈન્ડસ્ટ્રિયલ અને સપ્લાય ચેઇન નેટવર્કના વિસ્તારના સ્વરૂપે કામ કરી શકે છે. બંને દેશો કોર્પોરેટ ફાર્મિંગ, હાઇબ્રિડ સીડ અને ઉચ્ચ ઉપજ ધરાવતા પાકોના વિકાસ અને કોલ્ડ સ્ટોરેજ ચેઇનની સ્થાપના માટે દ્વિપક્ષીય સહયોગને વધારી શકે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow