માઇક્રો ફાઇ.ઇન્ડસ્ટ્રીઝની કોવિડ કારણે ક્રેડિટ ખોટ 10 ટકા વધી

માઇક્રો ફાઇ.ઇન્ડસ્ટ્રીઝની કોવિડ કારણે ક્રેડિટ ખોટ 10 ટકા વધી

કોવિડ મહામારીના 2 વર્ષ દરમિયાન માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓએ 10 ટકા જેટલી ક્રેડિટ ખોટ નોંધાવી છે, પરંતુ હવે સ્ટ્રેસ્ડ એસેટ્સ સ્તરમાં સુધારો થવાને કારણે સ્થિતિ ધીરે ધીરે નિયંત્રણ હેઠળ આવી રહી છે. MFI જે નાના ઉદ્યોગસાહસિકોને લોન પૂરી પાડે છે તેમાં કોવિડ મહામારીને કારણે નાણાકીય વર્ષ 2021 અને 2022 દરમિયાન 5-10 ટકા ક્રેડિટ ખોટ નોંધાઇ છે તેવું માઇક્રોફાઇનાન્સ સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ આલોક મિશ્રાએ જણાવ્યું હતું. દરેક સંસ્થામાં ક્રેડિટ લોસ અલગ અલગ હોય શકે છે.

જો કે હવે, કોવિડની લહેર દરમિયાન સતત પડકારો બાદ હવે સ્ટ્રેસ્ડ લોનની દૃષ્ટિએ સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. જુલાઇ 2022માં ન ચૂકવાયેલી લોનની ટકાવારી ઘટીને 1-11 ટકા થઇ ચૂકી છે, જે કોવિડની બીજી લહેર દરમિયાન 22 ટકાના સ્તરે જોવા મળી હતી.

કોવિડની બીજી લહેર દરમિયાન કલેક્શન એજન્ટ્સ અનેક વિસ્તારમાં રહેતા લોનધારકો પાસે રિકવરી માટે અસમર્થ રહ્યા હોવાથી વર્ષ 2021ના મધ્યમાં આ સેક્ટરમાં વધુ સ્ટ્રેસ જોવા મળ્યો હતો. તદુપરાંત કોવિડને કારણે મોટા ભાગની આર્થિક ગતિવિધિઓ સ્થગિત હોવાને કારણે આ સેગમેન્ટમાં આવકને પણ ફટકો પડ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow