ચોમાસામાં વિલંબથી ફુગાવાને અસર 24માં CPI 5.2% રહેશે:ડોઇશ બેન્ક

ચોમાસામાં વિલંબથી ફુગાવાને અસર 24માં CPI 5.2% રહેશે:ડોઇશ બેન્ક

દેશમાં ચોમાસામાં વિલંબને કારણે ફુગાવાના મોરચે કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે જેને ધ્યાનમાં રાખતા નાણાકીય વર્ષ 2024 માટે CPI આધારિત ફુગાવો RBIના 5.1 ટકાના અંદાજને બદલે 5.2 ટકા રહેશે તેવું અનુમાન ડોઇશ બેન્કે વ્યક્ત કર્યું છે. અત્યારે ચોમાસુ સાધારણ કરતાં 53 ટકા ઓછો છે અને દર વર્ષે જુલાઇમાં વિલંબથી ચોમાસાના ઇતિહાસને કારણે ફુગાવાના મામલે કોઇ રાહત મળે તેવી અત્યારે કોઇ શક્યતા જણાઇ રહી નથી. જો નસીબ સાથ આપશે અને જુલાઇ તેમજ ઓગસ્ટમાં ખાદ્યપદાર્થોની કિંમત નહીં વધે તો હેડલાઇન ફુગાવો 5 ટકા અથવા તેનાથી નીચલા સ્તરે રહે તેવી શક્યતા વ્યક્ત કરી શકાય.

જુલાઇ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે નબળા ચોમાસાને કારણે જુલાઇમાં ખાદ્યપદાર્થોની કિંમતોમાં ઉછાળો જોવા મળશે. ભૂતકાળમાં વર્ષ 2009 અને 2014 દરમિયાન જુલાઇમાં ઓછા વરસાદને કારણે ખાદ્યપદાર્થોની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ચોમાસુ સામાન્ય કરતા 53 ટકા ઓછુ છે અને દેશભરમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગમનમાં વિલંબ થયો છે જેને કારણે ઉનાળુ પાકનું મોડેથી વાવેતર થયું હતું.

ટામેટાની કિંમતમાં વધારાના અહેવાલ વચ્ચે બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે ડુંગળી, બટાટા અને ટામેટાની કિંમતો આગામી મહિનાઓ દરમિયાન પણ વધુ વધે તેવી શક્યતા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow