ચોમાસામાં વિલંબથી ફુગાવાને અસર 24માં CPI 5.2% રહેશે:ડોઇશ બેન્ક

ચોમાસામાં વિલંબથી ફુગાવાને અસર 24માં CPI 5.2% રહેશે:ડોઇશ બેન્ક

દેશમાં ચોમાસામાં વિલંબને કારણે ફુગાવાના મોરચે કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે જેને ધ્યાનમાં રાખતા નાણાકીય વર્ષ 2024 માટે CPI આધારિત ફુગાવો RBIના 5.1 ટકાના અંદાજને બદલે 5.2 ટકા રહેશે તેવું અનુમાન ડોઇશ બેન્કે વ્યક્ત કર્યું છે. અત્યારે ચોમાસુ સાધારણ કરતાં 53 ટકા ઓછો છે અને દર વર્ષે જુલાઇમાં વિલંબથી ચોમાસાના ઇતિહાસને કારણે ફુગાવાના મામલે કોઇ રાહત મળે તેવી અત્યારે કોઇ શક્યતા જણાઇ રહી નથી. જો નસીબ સાથ આપશે અને જુલાઇ તેમજ ઓગસ્ટમાં ખાદ્યપદાર્થોની કિંમત નહીં વધે તો હેડલાઇન ફુગાવો 5 ટકા અથવા તેનાથી નીચલા સ્તરે રહે તેવી શક્યતા વ્યક્ત કરી શકાય.

જુલાઇ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે નબળા ચોમાસાને કારણે જુલાઇમાં ખાદ્યપદાર્થોની કિંમતોમાં ઉછાળો જોવા મળશે. ભૂતકાળમાં વર્ષ 2009 અને 2014 દરમિયાન જુલાઇમાં ઓછા વરસાદને કારણે ખાદ્યપદાર્થોની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ચોમાસુ સામાન્ય કરતા 53 ટકા ઓછુ છે અને દેશભરમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગમનમાં વિલંબ થયો છે જેને કારણે ઉનાળુ પાકનું મોડેથી વાવેતર થયું હતું.

ટામેટાની કિંમતમાં વધારાના અહેવાલ વચ્ચે બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે ડુંગળી, બટાટા અને ટામેટાની કિંમતો આગામી મહિનાઓ દરમિયાન પણ વધુ વધે તેવી શક્યતા છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow