આજી ડેમના પાણીમાં નહાવા પડેલી પિતરાઇ બહેનોના ડૂબી જતાં મોત

આજી ડેમના પાણીમાં નહાવા પડેલી પિતરાઇ બહેનોના ડૂબી જતાં મોત

આજી ડેમમાં ગુરુવારે ગમખ્વાર ઘટના બની છે. જેમાં ભાઇ-બહેનો સાથે ફરવા ગયેલી પિતરાઇ બહેનોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આજી ડેમ પાસે રવિવારી બજારના પારાની પાછળ આવેલા ડેમના પાણીમાં બે છોકરી ડૂબી ગઇ હોવાની ગુરુવારે સાંજે 5.45 વાગ્યે બેડીપરા ફાયર બ્રિગેડને રાજુભાઇ નામની વ્યક્તિએ ફોન કરી જાણ કરી હતી.

જાણ થતાની સાથે ફાયર બ્રિગેડનો રેસ્ક્યૂ સ્ટાફ આજી ડેમ દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના તરવૈયાઓએ ડેમના પાણીમાંથી બંને છોકરીઓના મૃતદેહને શોધી બહાર કાંઠે લાવ્યા હતા. ડેમના પાણીમાંથી બહાર કાઢેલી બંને છોકરીઓને 108ની ટીમે તપાસતા બંનેનાં મોત નીપજ્યા હોવાનું જાહેર કર્યું હતું.

પીએસઆઇ એમ.ડી. લોખીલે પરિવારની કરેલી પૂછપરછમાં 80 ફૂટ રોડ, સમ્રાટ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં રહેતા નેપાળી પરિવારના ચાર છોકરા અને ત્રણ છોકરી બપોરે બાદ આજી ડેમ ફરવા ગયા હતા. ત્યારે પાણીમાં નહાવા પડેલા સાત બાળકો પૈકી મમતા દિલબહાદુર પરિહાર (ઉ.વ.12) અને હીર દીપકભાઇ પરિહાર (ઉ.વ.14) ડૂબવા લાગી હતી. બે છોકરી અચાનક ડૂબવા લાગતા અન્ય બાળકોએ બૂમાબૂમ કરી હતી. ત્યારે રાજુભાઇ નામની વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. મોતને ભેટેલી મમતા અને હીર બંને પિતરાઇ બહેનો હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow