દેશનો આર્થિક વૃદ્ધિદર FY27 સુધીમાં 6.7 ટકા રહેશે: S&P

દેશનો આર્થિક વૃદ્ધિદર FY27 સુધીમાં 6.7 ટકા રહેશે: S&P

દેશનું અર્થતંત્ર સ્થાનિક વપરાશમાં વેગને કારણે નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં 6.7%નો વૃદ્ધિદર નોંધાવશે તેવું S&P ગ્લોબલ રેટિંગ્સના વરિષ્ઠ અર્થશાસ્ત્રી વિશ્રુત રાણાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિદર 6 ટકાની આસપાસ રહેશે, જે વર્ષ 2022-23 દરમિયાન 7.2% હતો. વેપારને લઇને કેટલાક પડકારો જોવા મળી રહ્યાં છે જેને કારણે ગતિવિધિ પર પ્રતિકૂળ અસર પડી રહી છે અને આ વર્ષે ગ્રોથને અસર કરવામાં આ એક પરિબળ પણ કારણભૂત રહેશે.

ગત નાણાકીય વર્ષના 7.2%ના આર્થિક વૃદ્ધિદર બાદ સ્લોડાઉન માટે જે પરિબળો જવાબદાર છે તેમાં પડકારજનક બાહ્ય માહોલ, માંગમાં ઘટાડો, ખાનગી વપરાશની પ્રવૃત્તિમાં ઘટાડો સામેલ છે. નાણાકીય નીતિને કારણે પણ ગ્રાહકોની માંગ પર અસર જોવા મળશે. નોંધનીય છે કે RBIએ ચાલુ નાણાકીય વર્ષે દેશના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 6.5% વ્યક્ત કર્યો છે. ફુગાવો હળવો થઇ રહ્યો છે ત્યારે RBI વ્યાજદરો ઘટાડવાની ઉતાવળ નહીં કરે. અપેક્ષા પ્રમાણે ફુગાવાનું સ્તર જોવા ન મળે ત્યાં સુધી એટલે કે RBI વર્ષ 2024ની શરૂઆત સુધી વ્યાજદરમાં ઘટાડા માટે પ્રતિક્ષા કરે તેવી શક્યતા છે.

ચાલુ નાણાકીય વર્ષે મે મહિના દરમિયાન રિટેલ ફુગાવો 4.25 ટકા સાથે 2 વર્ષના તળિયે નોંધાયો હતો. RBIને ફુગાવો 2 ટકાના માર્જિન સાથે 4 ટકાના સ્તરે રાખવા માટેનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં S&Pએ 6 ટકાના આર્થિક વૃદ્ધિદર સાથે ભારત એશિયા પેસિફિક દેશોમાં સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામતું અર્થતંત્ર બની રહેશે તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું. નોંધનીય છે કે વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલા પડકારો અને મંદીની આશંકા વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા વધુ મજબૂત જોવા મળી રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow