રાજકોટમાં વીજચોરીના 5 કેસમાં દોષિતને 5 વર્ષની જેલની સજા

રાજકોટમાં વીજચોરીના 5 કેસમાં દોષિતને 5 વર્ષની જેલની સજા

પીજીવીસીએલ દ્વારા મોરબી રોડ પર આવેલી સોસાયટીમાં વીજચેકિંગ હાથ ધર્યું હતું. જે ચેકિંગ ઝુંબેશ દરમિયાન આરોપી મગન પાનસુરિયાએ તેના મકાનમાં વીજ કનેક્શન લીધા વગર ઘર પાસેથી પસાર થતા વીજથાંભલે લંગર નાંખી વીજચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ચેકિંગ સમયે હાજર અધિકારીએ વીજચોરી કરનાર મગન પાનસુરિયાને બિલ આપવામાં આવ્યું હતું.

ત્યાર બાદ સમયાંતરે પીજીવીસીએલ દ્વારા આ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા આરોપી મગન પાનસુરિયા વધુ ચાર વખત વીજચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જે તે સમયે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા મગન પાનસુરિયાને વીજચોરી અંગેના બિલ આપવામાં આવ્યા હતા.

દરમિયાન પાંચ-પાંચ વખત વીજચોરી કરવાના ગુનામાં પકડાયેલા મગન પાનસુરિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હતી. જે કેસ જજ જે.આઇ.પટેલની કોર્ટમાં ચાલતા પીજીવીસીએલના પક્ષે રોકાયેલા એડવોકેટ જિતેન્દ્ર એમ.મગદાણી, એપીપી એ.એસ.ગોગિયાએ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તપાસનીશ અધિકારીની જુબાની લીધી હતી અને આરોપીએ કઇ રીતે વીજચોરી કરી તે અંગેની હકીકત જણાવી હતી. બંને પક્ષની રજૂઆત બાદ અદાલતે આરોપીએ વીજચોરી કરી હોવાનું સાબિત થતું હોવાનું જણાવી મગન પાનસુરિયાને દોષિત ઠેરવી પાંચેય કેસની પાંચ વર્ષની સજા એક સાથે ભોગવવાનો હુકમ કર્યો છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow