રિટેલ લોનની માંગમા 20%થી વધુ રહી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની લોન 44 % વધી

રિટેલ લોનની માંગમા 20%થી વધુ રહી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની લોન 44 % વધી

વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરમાં વધારો જળવાઇ રહ્યો હોવા છતાં લોનની માગ ઘટવાના બદલે સતત વધી રહી છે. જાન્યુઆરી માસમાં લોનની માગ અગાઉના વર્ષની તુલનાએ 20 ટકાથી વધુ વધી છે. દેશમાં ઉપભોક્તા ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. બેંકો પાસેથી રિટેલ લોનની જોરદાર માંગ તેનો સંકેત આપે છે. IDBI કેપિટલના રિપોર્ટ અનુસાર જાન્યુઆરીમાં બેન્કોની રિટેલ લોન બુક રૂ. 39.59 લાખ કરોડ હતી. જે જાન્યુઆરી 2022ના 32.87 લાખ કરોડ કરતા 20.4% વધુ રહી છે.

જાન્યુઆરી મહિનામાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોનની માંગ સૌથી વધુ 43.6% વધી હતી. આ સમયગાળા દરમિયાન બેંકોની કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન બુક વધીને 36,900 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે એક વર્ષ પહેલા 25,700 કરોડ રહી હતી. 2023ના પ્રથમ મહિનામાં હાઉસિંગ લોનની ખરીદી પણ 15.4% વધીને રૂ. 18.88 લાખ કરોડ થઈ છે. દરમિયાન બેંકો પાસેથી કુલ લોનની ખરીદીમાં 16.7%નો વધારો થયો છે. તેની સરખામણીમાં ડિસેમ્બર-2022માં લોન વિતરણમાં 15.3%નો વધારો થયો હતો.

દેશમાં ઇઝી મનીનું ચલણ ઝડપી વધ્યું
બેન્કિંગ નિષ્ણાત સુલોચના દેસાઈના જણાવ્યા અનુસાર જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડની બાકી રકમમાં 29.6%નો વધારો ચોંકાવનારો છે. મતલબ કે દેશમાં ઈઝી મનીનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. એટલે કે લોકો નાની જરૂરિયાતો માટે પણ લોન લઈ રહ્યા છે. તેનાથી ક્રેડિટ રિસ્ક વધી રહ્યું છે.

માંગ કરતાં ફંડનો સપ્લાય ઓછો| લોનની માંગ વધવાને કારણે બેંકો પાસે રોકડ ઘટી રહી છે. બેંક ઓફ બરોડાના એક સંશોધન અહેવાલ મુજબ 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષમાં ફંડનો સપ્લાય માંગ કરતાં લગભગ રૂ. 4 લાખ કરોડ ઓછો રહેશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow