ગોંડલમાં નગરપાલિકાએ ઘરની ધોરાજી ચલાવતા કોંગ્રેસનો વિરોધ

ગોંડલમાં નગરપાલિકાએ ઘરની ધોરાજી ચલાવતા કોંગ્રેસનો વિરોધ

ગોંડલ નગર પાલિકા તંત્રએ સરકારી જાહેરાતના હોર્ડિંગ બોર્ડમાં ધારાસભ્યના પુત્રની વાહવાહી કરતાં વિપક્ષ કોંગ્રેસે આ મુદે વાંધો લીધો છે અને ઘરની ધોરાજી ચલાવતા નગરપાલિકા તંત્રના ચીફઓફિસર સામે કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી છે.

ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા,યતિશભાઇ દેસાઈ, દિનેશભાઈ પાતર, શૈલેષભાઈ રૈયાણી સહિતના કોંગ્રેસીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે ગોંડલ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત કરવા અંગે રાજય સરકારની પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત બાકી મિલકત વેરાની બાકી રકમ ભરપાઈ કરનારને વ્યાજ અને પેનલ્ટી માફ કરવા અંગેનાં જાહેરાતના બોર્ડ નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ લગાડવામાં આવ્યા છે. જે સરકારી યોજનાને અંતર્ગત છે, જેમાં ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફીસર તેમજ પદાધિકારીઓના ફોટા પણ છે.

જેમાં એક ફોટો ધારાસભ્ય ગીતાબા જાડેજા ના પુત્ર ગણેશભાઈનો પણ છે જે વ્યક્તિ સરકારમાં કે ગોંડલપાલિકામાં કોઈ હોદો ધરાવતા નથી. તેમ છતા પાલિકાના ચીફ ઓફીસરે આ વાત જાણતા હોવા છતાં આ વ્યકિતનો ફોટો અને નામ મૂકી કાયદા વિરુધ્ધનું કૃત્ય કર્યું છે અને ગંભીર ગુનો આચર્યો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow