ઇ-કોમર્સને લગતી ફરિયાદો વધીને 90,000 પર પહોંચી

ઇ-કોમર્સને લગતી ફરિયાદો વધીને 90,000 પર પહોંચી

દેશમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સને લગતી ફરિયાદોમાં મોટા પાયે વધારો જોવા મળ્યો છે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનને મળતી ઇ-કોમર્સને લગતી ફરિયાદો વધીને 90,000 સુધી પહોંચી ચૂકી છે. ગત વર્ષે નવેમ્બર દરમિયાન 40,000 ફરિયાદો નોંધાઇ હતી. જે ઇ-કોમર્સ કંપનીઓની ગ્રીવીયન્સ રિડ્રેસલ મેકેનિઝમ અસરકારક ન હોવાનું જણાવે છે.

ગ્રાહક મામલાના સેક્રેટરી રોહિત કુમાર સિંઘે જણાવ્યું કે ચાર વર્ષ પહેલા ઇકોમર્સ ટ્રાન્ઝેક્શન્સને લગતી ફરિયાદોની ટકાવારી 8 ટકા હતી, જે ગત નવેમ્બર દરમિયાન વધીને 48 ટકાએ પહોંચી ચૂકી છે. જે જણાવે છે કે અનેક ઇકોમર્સ કંપનીઓની ગ્રીવીયન્સ રિડ્રેસલ સિસ્ટમ અસરકારક ન હોવાના સંકેત આપે છે. ગ્રાહક અને વિક્રેતાઓ વચ્ચેનું સમીકરણ અચાનક જ બદલાયું છે.

ગ્રાહકો વધુને વધુ નબળા પડી રહ્યાં છે અને ત્યાં જ મંત્રાલય મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. સેક્ટરના અનેક કોર્પોરેટ સાથેની વાતચીત દરમિયાન સેક્રેટરીએ જણાવ્યું હતું કે આ પ્રકારના ઇકોમર્સ કંપનીઓ ગ્રાહકોને હળવાશથી ન લઇ શકે. કોર્પોરેટ્સને સ્વનિયમન કરવા માટેનો નિર્દેશ અપાયો છે. NCH અત્યારે 10 ભાષામાં સેવા પૂરી પાડે છે. જે ભવિષ્યમાં વધીને 22 થશે. જો કે અર્થતંત્રમાં ગતિશિલતાની સાથે રેગ્યુલેશન અને એન્ફોર્સમેન્ટ ફ્રેમવર્કમાં એટલો સુધારો જોવા મળ્યો નથી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow