એરલાઈન્સને લીઝ પર એરક્રાફ્ટ આપનારી કંપનીઓ પોતાના વિમાન પરત લેવા માંગે છે

એરલાઈન્સને લીઝ પર એરક્રાફ્ટ આપનારી કંપનીઓ પોતાના વિમાન પરત લેવા માંગે છે

દિલ્હી હાઈકોર્ટમાં આજે એટલે કે શુક્રવારે મુશ્કેલીમાં મુકાયેલી એરલાઈન ગોફર્સ્ટ સંબંધિત કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ગુરુવારે જજ પ્રતિભા એમ સિંહે સુનાવણીમાંથી પોતે બહાર થઈ ગયા હતા. તેમણે સુનાવણીમાંથી પોતાને દૂર કરવા માટે કોઈ કારણ આપ્યું ન હતું. ગ્રોફર્સ્ટને લીઝ પર ​​​​​​ એરક્રાફ્ટ આપતી કંપનીઓ એટલે કે લેસર્સ તેમના વિમાન પાછા મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.

28 મે સુધી તમામ ગોફર્સ્ટ ફ્લાઈટ્સ રદ રહેશે
આ દરમિયાન, કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે તેની તમામ ફ્લાઇટ્સ હવે 28 મે સુધી રદ કરવામાં આવી છે. આ સાથે જ ટિકિટના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. 3 મેથી એરલાઇનની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને તેની તારીખ સતત વધી રહી છે. એરલાઇન્સે અગાઉ 26 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી હતી.

આ લેયર્સે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો
જે લેયર્સે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે તેમાં એસિપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ એરક્રાફ્ટ 2 લિમિટેડ, EOS એવિએશન 12 (આયરલેન્ડ) લિમિટેડ, પેમ્બ્રોક એરક્રાફ્ટ લીઝિંગ 11 લિમિટેડ અને SMBC એવિએશન કેપિટલ લિમિટેડનો સમાવેશ થાય છે. ભાડે આપનારાઓએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે તેઓ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને તેમના એરક્રાફ્ટની નોંધણી રદ કરવા આદેશ આપે જે હાલમાં GoFirstને લીઝ પર આપવામાં આવેલ છે.

10 મેના રોજ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે NCLTએ ગો ફર્સ્ટ એરલાઇનને રાહત આપતા મોરેટોરિયમની માંગણી સ્વીકારી હતી. મોરેટોરિયમ એટલે લેણદારો કોઈપણ લોનના કિસ્સામાં કોઈ કાનૂની કાર્યવાહી કરી શકતા નથી. લેસરો પણ તેમના વિમાનને પાછી ખેંચી શકતા નથી. લેસર્સે NCLTના ​​​​​​આ આદેશ સામે NCLAT એટલે કે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલમાં પણ અપીલ કરી હતી. પરંતુ એપેલેટ ટ્રિબ્યુનલે NCLATના આદેશને યથાવત રાખ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow