6.5 લાખ કારનો ઑર્ડર પૂરો કરવા માટે કંપનીઓએ 25% ઉત્પાદન વધાર્યું!

6.5 લાખ કારનો ઑર્ડર પૂરો કરવા માટે કંપનીઓએ 25% ઉત્પાદન વધાર્યું!

આ વખતે તહેવારોની સિઝનમાં રેકોર્ડતોડ ઓપનિંગ થવાનાં એંધાણ છે. હાઉસિંગ અને ઑટોમોબાઇલ સેક્ટરમાં ગજબની તેજી જોવાઈ રહી છે. 2022-23માં મકાનોનું વેચાણ ગત વર્ષ કરતાં 48% વધીને રૂ. 3.47 લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે અત્યાર સુધીનું વિક્રમી વેચાણ છે. રિઝર્વ બૅન્કે બેન્ચમાર્ક વ્યાજદરો (આમાં હોમલોન પણ સમાવિષ્ટ છે.)માં ફેરફાર ન કરવાની જાહેરાત કરી હોવાથી પણ તહેવારોની મોસમમાં ઘરનું વેચાણ 35-40% સુધી વધી શકે છે. આ જ રીતે કારનું વેચાણ પણ 30-35%ના વધારા સાથે 10 લાખને પાર જઈ શકે છે.

ઈટી હાઉસિંગ ફાઈનાન્સ સમિટ અનુસાર દેશમાં દર વર્ષે 1 હજાર વ્યક્તિ દીઠ 5 ઘરની જરૂરિયાતની સામે માત્ર 3 ઘર બની રહ્યાં છે. આ સ્થિતિમાં શહેરી વિસ્તારોમાં અંદાજે 1 કરોડ ઘરની ઘટ છે અને રોકેટગતિએ વધી રહેલી શહેરોની વસ્તીને જોતાં વર્ષ 2030 સુધીમાં અંદાજે 2.5 કરોડથી વધુ ઘરની માગ વધી જશે. વર્ષ 2022-23માં કુલ 3.79 લાખ મકાન વેચાયાં હતાં, જે ગત નાણાકીય વર્ષ કરતાં 36% વધુ છે. ખાનગી બજારના રોકાણકાર બ્લૅકસ્ટોન દેશના રિયલ એસ્ટેટ સેક્ટરમાં 3.8 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યા છે અને 2030 સુધીમાં વધુ 1.7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ ઑટો સેક્ટરમાં મારુતિ, હ્યુંડાઈ, કિયા, તાતા અને મહિન્દ્રા વગેરે કંપનીઓએ 6.5 લાખ કારનો ઑર્ડર પૂરો કરવા માટે 25% ઉત્પાદન વધારી દીધું છે. સાણંદ, માનેસર, ચેન્નાઈ, પૂણે જેવાં ઉત્પાદન સ્થળે કર્મચારીઓના કામના કલાકો વધારી દેવાયા છે અને સાપ્તાહિક રજા પણ બંધ કેન્સલ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow