અહીં પાણીથી સસ્તું છે કોલ્ડ ડ્રિંક, લોકોએ તેને સંસ્કૃતિનો ભાગ બનાવ્યો, પરિણામે મૃત્યુ દર બમણો થયો

અહીં પાણીથી સસ્તું છે કોલ્ડ ડ્રિંક, લોકોએ તેને સંસ્કૃતિનો ભાગ બનાવ્યો, પરિણામે મૃત્યુ દર બમણો થયો

મેક્સિકોના ચિયાપસ શહેરના રહેવાસી પાણીની જગ્યાએ કોલ્ડ ડ્રિંક્સ પી રહ્યા છે. આટલુ જ નહીં કોલ્ડ ડ્રિંક્સ તેમની સંસ્કૃતિનો ભાગ બની ગયુ છે. આની પાછળનું કારણ છે કે ત્યાં કોલ્ડ ડ્રિંકની કિંમત પાણીથી સસ્તી છે. પરિણામે લોકો પોતાના રોજીંદા કાર્યોમાં પણ તેનો ઉપયોગ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે તેને પીવાથી પાછલા એક દાયકામાં ત્યાં મૃત્યુ દર બમણો થઈ ગયો છે.

શાળાઓમાં બાળકોને કોલ્ડ ડ્રિંક્સ પીવાથી થતા નુકસાન વિશે કહેવામાં આવે છે. તેમ છતાં કોલ્ડ ડ્રિંકનો ઉપયોગ અહીં પાણીની જગ્યાએ કરવામાં આવી રહ્યો છે. અહીં રોજ લોકો સરેરાશ લગભગ 2 લીટર અને વર્ષમાં 800 લીટર સુધી કોલ્ડ ડ્રિંક્સ પી જાય છે. પરિણામે બાળકોથી લઈને વૃદ્ધ મહિલાઓ સુધી બધાં તેનો ઉપયોગ વધારે માત્રામાં કરી રહ્યા છે. ત્યાંના લોકો તેનાથી થતાં નુકસાનને સમજે છે. તેઓ પણ માને છે કે હવે લોકોને તેનું વ્યસન થઈ ગયુ છે. તેમ છતાં તેમની પાસે કોઈ વિકલ્પ નથી.

આશ્ચર્યની વાત તો એ છે કે ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ પાણીની જગ્યાએ કોલ્ડ ડ્રિંકનો છંટકાવ કરે છે. અને પ્રસાદ પણ આપવામાં આવી રહ્યો છે. પરિણામ એ છે કે તે એરિયામાં દર વર્ષે લગભગ 3 હજાર લોકોના મૃત્યુ ડાયાબિટીસને કારણે થઈ રહ્યા છે. કારણ કે આપણા શરીરને બહારથી લીધેલી સુગરની જરુર હોતી નથી. આપણા શરીરમાં સુગરની જરુરત દૂધ, ફળ વગેરેથી પૂરી થઈ જાય છે. જો તમે તેના વ્યસની થઈ ચૂક્યા છો તો ડાયટ કોક પીવાની કોશિશ કરવી.

750 MLની બોટલમાં હોય છે 40 ગ્રામ સુધી સુગર
અમેરિકા હાર્ટ એસોસિએશન અનુસાર કોલ્ડ ડ્રિંકમાં સૌથી નુકસાનકારક સુગર છે. પુરુષને 36 ગ્રામ સુધી સુગર રોજ લેવાથી કોઈ નુકસાન નથી થતુ. મહિલાઓ માટે 25 ગ્રામની લિમિટ છે. કોલ્ડ ડ્રિંકમાં 750 મિલી. ની બોટલમાં 40 ગ્રામ સુગર હોય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow