CNG અને PNG 1 જાન્યુઆરીથી સસ્તા થશે; ગ્રાહકોને એક યુનિટ પર 2-3 રૂપિયાની બચત

CNG અને PNG 1 જાન્યુઆરીથી સસ્તા થશે; ગ્રાહકોને એક યુનિટ પર 2-3 રૂપિયાની બચત

દેશભરના ગ્રાહકોને ટૂંક સમયમાં CNG અને ઘરેલું પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) સસ્તો મળશે. પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) એ ગેસ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઘટાડવા અને સરળ બનાવવાની જાહેરાત કરી છે, જે 1 જાન્યુઆરી 2026 થી લાગુ પડશે.

PNGRB સભ્ય એ.કે.તિવારીએ જણાવ્યું હતું કે નવા યુનિફાઇડ ટેરિફ સ્ટ્રક્ચરથી અલગ અલગ રાજ્યોના ગ્રાહકોને પ્રતિ યુનિટ ₹2-3 ની બચત થશે, જે રાજ્ય અને ટેક્સ પર નિર્ભર રહેશે.

નવા ટેરિફ સ્ટ્રક્ચરમાં ત્રણને બદલે 2 ઝોન

એ.કે.તિવારીએ ANI ને જણાવ્યું હતું કે 2023 માં લાગુ કરાયેલી વ્યવસ્થામાં ટેરિફને અંતરના આધારે 3 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. તેમાં 0 થી 200 કિમી સુધી ₹42 ચાર્જ લાગે છે.

જ્યારે 300 થી 1,200 કિમી સુધી ₹80 અને 1,200 કિમીથી વધુ પર ₹107 ચાર્જ લાગે છે. હવે આ વ્યવસ્થાને સરળ બનાવીને બે ઝોન કરી દેવામાં આવ્યા છે.

તિવારીએ કહ્યું કે, પહેલો ઝોન CNG અને ઘરેલું PNG ગ્રાહકો માટે સમગ્ર દેશમાં સમાન રીતે લાગુ પડશે. તેનાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે, જે સીધો ગ્રાહક સુધી પહોંચશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow