ભારતમાં 2025 સુધીમાં ક્લાઉડ ગેમ ચેન્જર પુરવાર થશે : નદેલા

ભારતમાં 2025 સુધીમાં ક્લાઉડ ગેમ ચેન્જર પુરવાર થશે : નદેલા

ભારતમાં ડિજિટાઇઝેશનની પહેલને અસામાન્ય પરિવર્તન ગણાવતા માઇક્રોસોફ્ટના ચેરમેન સીઇઓ અને સત્યા નદેલાએ કહ્યું હતું કે આગામી વર્ષોમાં ક્લાઉડ અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતના આર્થિક વિકાસમાં અનિવાર્ય ટેક્નોલોજીપુરવાર થશે. વર્ષ 2025 સુધીમાં મોટાભાગની એપ્લિકેશન્સ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બિલ્ટ થશે એમ જણાવતા નદેલાએ કહ્યું હતું કે આશરે 90 ટકા ડિજિટલ વર્કલૉડ ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ જશે.

મુંબઈમાં માઇક્રોસોફ્ટ ફ્યુચર રેડી લીડરશીપ સમિટમાં બોલતા સત્યા નદેલાએ આ વાત કહી હતી.ટેકનોલોજીથી સુસસ્જ ભારત અંગે પોતાનું વિઝન રજૂ કરતા નદેલાએ કહ્યું હતું કે ભારતની ડિજિટલ સફરમાં ક્લાઉડ ટેક્નોલોજીપાયાની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે ક્લાઉડથી કાર્યક્ષમતામાં 70થી 80 ટકાનો વધારો થશે. અમે 60થી વધુ પ્રદેશોમાં 200થી વધુ ડેટા સેન્ટર માટે રોકાણ કરી રહ્યાં છીએ. માત્ર ભારતમં જ અમે હૈદરાબાદમાં ચોથુ સેન્ટર ઉભું કરીશું. અમે દરેક જગ્યાએ ક્લાઉડ ઉપલબ્ધ થાય એ માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. દરેક ફેક્ટરી, રીટેલ સ્ટોર, વેરહાઉસ અને હોસ્પિટલમાં સર્જાતા ડેટા માટે ક્લાઉડની જરૂર પડશે. ઉલ્લેખનીય છે કે સત્યા નદેલા હાલ ચાર દિવસના ભારત પ્રવાસે છે. તેઓ મુંબઈ, નવી દિલ્હી, બેંગલરુ અને હૈદરાબાદની મુલાકાત લશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow