અરુણાચલમાં ભારત અને ચીનની સેના વચ્ચે ફરી ઘર્ષણ, બન્ને પક્ષના 30 સૈનિકો ઘાયલ

અરુણાચલમાં ભારત અને ચીનની સેના વચ્ચે ફરી ઘર્ષણ, બન્ને પક્ષના 30 સૈનિકો ઘાયલ

15 જુન 2020ના દિવસે લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોહિયાળ જંગ થયો હતો જેમાં 20 ભારતીય જવાનો અને ચીનના ઘણા જવાનોના મોત થયા હતા. હવે અરુણાચલના તવાંગમા બન્ને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. જોકે બન્ને દેશના સૈનિકો વચ્ચે અત્યારે નહી પરંતુ 9 ડિસેમ્બરે થયું હતું જેની હવે જાણકારી સામે આવી છે.

અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણના સમાચાર છે. આ ઘટનાની બંને તરફના સૈનિકોને ઇજા પહોંચી હોવાના સમાચાર છે. આ ઘટના તવાંગ જિલ્લાના યાંગસ્ટેની છે. રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ઘટના 9 ડિસેમ્બર 2022ના રોજ બની હતી.

ચીનની સેના એલએસીએ પહોંચી જતા ભારતીય સૈનિકોએ આપ્યો જડબાતોડ જવાબ

અહેવાલો અનુસાર, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એલએસી પર પહોંચી ગઈ હતી. ચીની સૈનિકોની આ હરકતનો ભારતીય સૈનિકોએ જોરદાર વિરોધ કર્યો હતો. આ દરમિયાન બંને સેનાઓ વચ્ચે ઘર્ષણના સમાચાર પણ મળી રહ્યા છે. આ અથડામણમાં સેનાના કેટલાક સૈનિકો બંને પક્ષે ઘાયલ થયા છે.

15 જૂન 2020ના દિવસે ગલવાન સંઘર્ષમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા
ચીન સરહદે 15 જૂન 2020ની ઘટના બાદ આ પ્રકારની આ પહેલી ઘટના છે. તે સમયે લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા અને ઘણા અન્ય ઘાયલ થયા હતા. આ અથડામણમાં ઘણા ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસી પાસેના કેટલાક વિસ્તારોમાં બંને દેશના જવાનો પેટ્રોલિંગ કરીને સરહદની રખેવાળી કરી રહ્યાં છે અને આ દરમિયાન ઘણી વાર તેઓ એકબીજાની સામસામે આવી જાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow