દેશમાં આવકવેરો ચૂકવનારા નાગરિકો એક કરોડ પણ નથી, 48% હિસ્સો એકલા ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યનો

દેશમાં આવકવેરો ચૂકવનારા નાગરિકો એક કરોડ પણ નથી, 48% હિસ્સો એકલા ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યનો

કદાચ તમને જાણીને નવાઇ લાગશે કે આપણા દેશમાં માત્ર 6% કરદાતા છે, જેમાં 5.5% પર શૂન્ય ટેક્સ છે. 2020-21માં દેશની કુલ 132 કરોડની વસતીમાં માત્ર 8.22 કરોડ જ કરદાતા હતા. તેમાં પણ 7.5 કરોડથી વધુ કરદાતાઓ છૂટના દાયરા હેઠળ આવે છે એટલે કે તેઓને કોઇ ટેક્સની ચુકવણી કરવી પડતી નથી. એટલે માત્ર 72 લાખ કરદાતાઓના દમ પર જ કેન્દ્ર સરકાર અંદાજે રૂ.8 લાખ કરોડની કમાણી કરે છે. અમેરિકામાં 60% વસતી આવકવેરો ભરે છે. જાણકારો અનુસાર જો દેશમાં ઓછામાં ઓછા 23% વસતી ટેક્સ ભરે તો દરો ઘટાડી શકાય છે. આવકવેરા કલેક્શનમાં 48% હિસ્સો યુપી-બિહાર, મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યનો જ છે.

દેશમાં માત્ર 7% કરદાતાની આવક 10 લાખથી ઉપર
દેશમાં 1 કરોડથી વધુ ટેક્સ આપનારા લોકોની સંખ્યા 5 હજારથી વધુ...

  • 1 લાખ રૂ.થી વધુ ટેક્સ ભરનારાની સંખ્યા: 30,08,033
  • 1-10 લાખ રૂપિયા વચ્ચે કર ચૂકવતા કરદાતા: 27,93,463
  • 10-50 લાખ રૂ. સુધી ટેક્સ ચૂકવતા કરદાતાની - 1,96,535
  • 50 લાખથી 1 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવનારનો આંકડો - 12,963
  • 1 કરોડથી વધુ ટેક્સ ચૂકવનારા કરદાતાઓની સંખ્યા - 5,072

UPથી સર્વાધિક કમાણી | 18% હિસ્સો અહીંથી આવે છે

  • કેન્દ્ર દ્વારા કુલ ટેક્સ કલેક્શનમાં રાજ્યોના હિસ્સે રૂ.10.21 લાખ કરોડ આવે છે, જેમાં યુપી 1.8 લાખ કરોડ રૂ. એટલે કે 18%ના હિસ્સા સાથે પહેલા ક્રમે છે.
  • બિહારનો 10%, મધ્યપ્રદેશનો 8% અને મહારાષ્ટ્ર-રાજસ્થાનનો 6-6% છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow