ચીનના સૈનિકોની છરી અને લાકડીઓનો જવાબ

ચીનના સૈનિકોની છરી અને લાકડીઓનો જવાબ

ચીન બોર્ડર પર તહેનાત ITBP જવાનોને હવે હથિયાર વિના લડવાની તાલીમ આપવામાં આવી રહી છે. 44 અઠવાડિયા સુધી ચાલનારા આ તાલીમ અભિયાનમાં જવાનોને 15 સ્ટેપ શીખવવામાં આવશે. જેના કારણે પ્રશિક્ષિત જવાન વાવાઝોડું, હિમપ્રપાત અને ઓક્સિજનની અછત જેવી પરિસ્થિતિઓનો પણ સામનો કરી શકે છે.

સરહદ પર 90 દિવસથી વધુ સમય માટે કોઈ તહેનાતી નહીં
રિપોર્ટ અનુસાર ટ્રેનિંગ દરમિયાન સૈનિકોને જુડો, કરાટે, ક્રાવ માગા અને જાપાનીઝ માર્શલ આર્ટ શીખવવામાં આવશે. તેનો હેતુ છરી અથવા લાકડીઓથી સજ્જ ચીનના સૈનિકોનો સામનો કરવાનો છે. જ્યારે, તાલીમ પછી, જવાનને માત્ર 90 દિવસ માટે સરહદ ચોકી પર તહેનાત કરવાનું આયોજન છે.

નાવી હતી અન-આર્મ્ડ કોમ્બેટ સ્ટ્રેટેજી
ગલવાન ખીણમાં હિંસક અથડામણ પછી 2021માં ITBPના તત્કાલીન મહાનિદેશક, સંજય અરોરાએ અન-આર્મ્ડ કોમ્બેટ સ્ટ્રેટેજી ઘડવાનો નિર્દેશ આપ્યો હતો. વાસ્તવમાં, કરાર હેઠળ ચીન સરહદ પર ફાયર આર્મ્સનો ઉપયોગ કરી શકાતો નથી. એટલા માટે ત્યાં સૈનિકો લાકડીઓ અને ડંડા લઈને જ મોનીટરીંગ કરે છે.

વર્ષ 2020ની એપ્રિલ- મે માં ચીનના ઈસ્ટરેન લદાખના સરહદી ક્ષેત્રમાં એક્સરસાઈઝના બહાને જવાનોને એકઠા કર્યા હતા. ત્યારબાદ અનેક જગ્યાએ ઘુસણખોરીની ઘટનાઓ બની હતી. ભારત સરકારે પણ આ વિસ્તારમાં ચીનની બરાબર સંખ્યામાં સૈનિક તહેનાત કર્યા હતા. સ્થિતિ એટલી ખરાબ બની ગઈ હતી કે 4 દાયકા કરતા વધુ સમય બાદ LAC પર ફાયરિંગ થયું. આ દરમિયાન 15 જુને ગલવાન ઘાટીમાં તીનની સેનાની સાથે થયેલી અછડામણમાં 20 ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા.

અમેરિકન અખબાર 'ધ ક્લેક્સને' તેના એક તપાસ અહેવાલમાં આ અથડામણનો ખુલાસો કર્યો છે. આ અહેવાલ મુજબ પૂર્વી લદ્દાખમાં બંને દેશોના સૈનિકો વચ્ચેના હિંસક સંઘર્ષમાં ચીનના 38 સૈનિકો માર્યા ગયા હતા. ચીને માત્ર કબૂલ્યું હતું કે ગાલવાનમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા હતા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow