ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે.

ચાઇના ડેઇલીના એક અહેવાલ મુજબ, બાળકના જન્મ પછી સરકાર સતત ત્રણ વર્ષ સુધી માતા-પિતાને વાર્ષિક 3,600 યુઆન (આશરે રૂ. 44,000) આપશે.

ચીનની 21% વસતિ 60 વર્ષથી વધુ ઉંમરની છે. ચીને લગભગ એક દાયકા પહેલા તેની વિવાદાસ્પદ "વન ચાઈલ્ડ પોલિસી"નો અંત લાવ્યો હતો, પરંતુ તેમ છતાં જન્મ દર ઘટી રહ્યો છે.

વિશ્વના મોટા દેશોમાં ચીનનો જન્મ દર સૌથી ઓછો છે અને તે સતત ઘટી રહ્યો છે. 2016માં ચીનમાં 18 મિલિયન બાળકોનો જન્મ થયો હતો. 2023માં આ સંખ્યા ઘટીને 9 મિલિયન થઈ ગઈ.

માત્ર 7 વર્ષમાં ચીનનો જન્મ દર 50% ઘટ્યો. 2024માં આ સંખ્યા થોડી વધીને 9.5 મિલિયન થઈ ગઈ, પરંતુ મૃત્યુ દર જન્મ દર કરતા વધી ગયો હોવાથી કુલ વસતિમાં ઘટાડો ચાલુ રહ્યો.

સરકાર દર વર્ષે એવા માતા-પિતાને રોકડ રકમ આપશે જેમના બાળકો ત્રણ વર્ષથી ઓછી ઉંમરના છે. આ યોજના 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. તેમાં એવા બાળકોનો પણ સમાવેશ થશે જેમની ઉંમર હાલમાં ત્રણ વર્ષથી ઓછી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow