મોરબી રોડ પર જાહેરમાં માંડવો નાખી ચાઇનીઝ દોરી વેચાતી હતી

મોરબી રોડ પર જાહેરમાં માંડવો નાખી ચાઇનીઝ દોરી વેચાતી હતી

મકરસંક્રાંતિ પૂર્વે પોલીસ તંત્ર દ્વારા માનવ જિંદગી અને પક્ષીઓનો જીવ લેતી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે, પરંતુ આ જાહેરનામાની બેઅસર થતી હોવાનું છેલ્લા કેટલાક સમયથી પ્રકાશમાં આવી રહ્યું છે. ચાઇનીઝ દોરીના વેચાણ કે સંગ્રહ કરવા પર પ્રતિબંધ હોવા છતાં આર્થિક લાભ મેળવવા કેટલાક લેભાગુ તત્ત્વો છાનેખૂણે જીવલેણ ચાઇનીઝ દોરીની ફીરકીઓનું વેચાણ કરી રહ્યાં છે. ત્યારે પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકી સરાજાહેર વેચતા એક શખ્સને પકડી પાડ્યો છે.

મોરબી રોડ, જય જવાન જય કિસાન મેઇન રોડ પર માટેલ ઇલેક્ટ્રિક નામની દુકાન બહાર એક શખ્સ મંડપ નાખી પતંગ-દોરીની સાથે ચાઇનીઝ દોરીની ફીરકી પણ વેચતો હોવાની એસઓજીને માહિતી મળી હતી. જેના આધારે તુરંત ટીમ ત્યાં દોડી જઇ મૂળ ગુંદા ગામના હાર્દિક રમેશ રૈયાણી નામના શખ્સને તેના વેપારના સ્થળેથી રૂ.6600ના કિંમતની અલગ અલગ કુલ 24 ચાઇનીઝ ફીરકી સાથે પકડી કાર્યવાહી કરી છે.

એસઓજીએ અન્ય એક દરોડામાં ભગવતીપરા, નંદનવન-2માંથી મુનાવરશા જાવેદશા મોગલને તેના ઘરમાંથી રૂ.71,700ના કિંમતની 239 ચાઇનીઝ દોરીની ફીરકી સાથે ઝડપી લઇ ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે તાકીદ કરી છે કે, ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે આકરી કાર્યવાહી થશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow