શિક્ષકો ભણાવતા નહીં હોવાથી ચક્કાજામ!

શિક્ષકો ભણાવતા નહીં હોવાથી ચક્કાજામ!

પંચમહાલ જિલ્લાના ગોધરાના નદીસર ગામની શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયમાં શિક્ષકો યોગ્ય રીતે ન ભણાવતા હોવાનો આક્ષેપ કરીને વિદ્યાર્થીઓએ પરીક્ષાની ઉત્તરવહીમાં રોષ ઠાલવ્યો હતો. રોષ પ્રગટ કરેલી ઉત્તરવહી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જિલ્લા શિક્ષણાધિકારી તપાસ અર્થે શાળામાં આવતાં વિદ્યાર્થીઓએ રડમસ અવાજે અધિકારીને રજૂઆત કર્યા બાદ શિક્ષણ ન મળતાં વિદ્યાર્થીઓએ શાળાનો ગેટ બંધ કરી દેતા શિક્ષણાધિકારી દોઢ કલાક પુરાયેલા રહ્યા હતા. સમજાવટ બાદ ગેટ ખૂલ્યો હતો.

ગોધરા તાલુકાના નદીસર ગામની શ્રી મહાજન ઈંગ્લિશ સ્કૂલ શાળાના ધોરણ 10ના 300 જેટલા વિદ્યાર્થીઓને શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો ભણાવતા ન હોવાનો મામલો ઉછળ્યો હતો. શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્તરવહીમાં જવાબો લખવાને બદલે વિદ્યાર્થીઓએ પોતાનો રોષ અને હૈયાવરાળ ઠાલવી હતી. જે સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ હતી.

ધોરણ 10ના વિદ્યાર્થીઓએ જવાબવહીમાં શિક્ષકો નહિ આવતા અભ્યાસ બગડી રહ્યો હોવાના આક્ષેપ સાથે એક નોંધ લખેલી તે વાઈરલ થઈ હતી. જેથી પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી નદીસરની શાળામાં તપાસ અર્થે આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સમસ્યાઓ જણાવતાં ભણતર માટે આખા વર્ગના વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા. રડમસ અવાજે વિદ્યાર્થીઓએ ઇન્ચાર્જ શિક્ષણાધિકારીને અમને કશું ભણાવ્યું ન હોવાની રજૂઆત કરી હતી. ઇન્ચાર્જ શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓનો એક મૌખિક ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow