38 લાખ કરોડની માર્કેટકેપ ધરાવતી 72 કંપનીના CEO બદલાશે

38 લાખ કરોડની માર્કેટકેપ ધરાવતી 72 કંપનીના CEO બદલાશે

દેશની ટોચની કંપનીઓમાં આવનાર સમયમાં મોટા પાયે બદલાવ જોવા મળી શકે છે. 38 લાખ કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતી અનેક કંપનીઓ પરિવર્તન લાવી રહી છે. દેશના કોર્પોરેટ સેક્ટરમાં લીડરશિપ લેવલ પર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર સુધીમાં 72 કંપનીઓના સીઇઓ બદલાઇ જશે. જેમાં ટીસીએસ, એસબાઇઆઇ,કોટક મહિન્દ્રા બેંક, HUL, HDFC લિમિટેડ, ICICI પ્રુડે. અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે.

જેફરીઝ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ભારતીય કોર્પોરેટે આ મામલે યુ-ટર્ન લીધો છે. કોવિડ મહામારી દરમિયાન ભાગ્યે જ કોઈ મોટી કંપનીએ સીઇઓ સ્તર પર નેતૃત્વ બદલ્યું છે. ભૌગોલિક પરિસ્થિતિને કારણે કોર્પોરેટ ક્ષેત્ર બદલાયેલા માહોલનો સામનો કરી રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કેટલીક કંપનીઓએ નેતૃત્વમાં પરિવર્તન કર્યું છે.

કોર્પોરેટ સેક્ટરમાં થઇ રહેલા બદલાવ પર કરવામાં આવેલ સ્ટડી અહેવાલ સૂચવે છે કે રોકાણકારોએ જે કંપનીઓના સીઇઓ બદલાવાના છે તેના શેર માટે તેમના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાની જરૂર નથી. જોકે આ કંપનીઓને લગતી અન્ય બાબતોના આધારે પોર્ટફોલિયોમાં ફેરફાર કરી શકાય છે.

જૂન માસથી આ કંપનીઓમાં જોવા મળશે નવા બોસ

કે કૃતિવાસન 1 જૂને ટીસીએસના સીઇઓ અને MD તરીકેનો કાર્યભાર સંભાળશે.
રોહિત જાવા 27 જૂને હિન્દુસ્તાન યુનિલિવરના નવા CEO અને MD બનશે.
એસબીઆઇના ચેરમેન દિનેશ ખારાનો કાર્યકાળ ઓક્ટોબરમાં પૂરો થશે.
કોટક મહિન્દ્રા બેંકના MD-સીઇઓ ઉદય કોટક 31 ડિસેમ્બરે નિવૃત્ત થશે.
HDFC બેંક સાથે મર્જર થયા બાદ HDFC લિમિટેડને આ વર્ષે નવા બોસ મળશે

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow