કેન્દ્ર સરકારે ટાઇમ ઑફ ડે ટેરિફ હેઠળ દરમાં પરિવર્તન કર્યાં, વાણિજ્યિક વપરાશકારો માટે એપ્રિલ-24થી નવા દર અમલી

કેન્દ્ર સરકારે ટાઇમ ઑફ ડે ટેરિફ હેઠળ દરમાં પરિવર્તન કર્યાં, વાણિજ્યિક વપરાશકારો માટે એપ્રિલ-24થી નવા દર અમલી

એકાદ વર્ષમાં રાત કરતાં દિવસે પંખા-એસી ચાલુ રાખવાનું સસ્તું પડશે કારણ કે કેન્દ્ર સરકારે વીજદરમાં ફેરફાર કર્યો છે તે પ્રમાણે દિવસે વીજળી સસ્તી પડશે અને રાત્રે મોંઘી. આ સિવાય પણ બીજો એક ફેરફાર કર્યો છે. ટાઇમ ઑફ ડે (ટીઓડી) ટેરિફ હેઠળ દેશભરના વીજવપરાશકારો પાસેથી સમય પ્રમાણે દર વસૂલાશે. એટલે કે દિવસના ચોવીસેય કલાક વીજદર એકસરખા નહીં રહે. જુદા જુદા સમયે તેના દર બદલાશે. ફેરફાર પ્રમાણે સૌરકલાકો (દિવસના 8 કલાક)નો દર સામાન્ય દર કરતાં 10થી 20% ઓછો રહેશે જ્યારે પિક અવર્સ (વ્યસ્ત સમય)માં દર 10થી 20% વધારે રહેશે.

10 કિલોવૉટ અને વધુ વીજમાગ ધરાવતા વાણિજ્યિક વપરાશકારો માટે ટીઓડી પ્લાન એપ્રિલ, 2024થી લાગુ થશે. ખેતી સિવાયના અન્ય વપરાશકારો માટે આ દર પરિવર્તન એપ્રિલ, 2025થી લાગુ થશે.આ માટે સ્માર્ટ મીટર લગાડવું પડશે. ત્યાર પછી તરત ટીઓડી સો જ બિલિંગ શરૂ થઈ જશે. બીજું પરિવર્તન સ્માર્ટ મીટરિંગ નિયમોના સરળીકરણ સાથે સંકળાયેલું છે. વપરાશકારોને હેરાનગતિથી બચાવવા માટે નિર્ધારિત કરાયેલા મહત્તમ લોડથી વધુ લોડ લેવા સામેના દંડની રકમ ઘટાડી દેવાઈ છે.

વ્યસ્ત, સૌર અને સામાન્ય કલાકો માટેના દર જુદા જુદા
વીજદરની નવી વ્યવસ્થા વપરાશકારોની સાથેસાથે વીજવ્યવસ્થા માટે પણ ફાયદાનો સોદો રહેશે. તેમાં વ્યસ્ત કલાકો, સૌર કલાકો અને સામાન્ય કલાકો માટે જુદા જુદા દર છે. વપરાશકારો જાગરુકતા અને જરૂરિયાત પ્રમાણેના વીજવપરાશથી બિલની રકમ ઘટાડી શકશે. દિવસે વીજળી ઉત્પન્ન કરવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરાતો હોય છે અને એ સસ્તી હોવાથી દર ઓછા થશે. » આર. કે. સિંહ, કેન્દ્રીય ઊર્જામંત્રી

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow