કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને આપી લીલીઝંડી, વર્ષે 50 લાખ ટનનું ઉત્પાદન

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને આપી લીલીઝંડી, વર્ષે 50 લાખ ટનનું ઉત્પાદન

દેશમાં  ગ્રીન હાઈડ્રોજનને લઈને કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મીટિંગમાં નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપી દેવામાં આવી છે.

દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપતાં જણાવ્યું હતું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી મળતાં તે વૈશ્વિક હબ બની જશે દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે. તેમણે કહ્યું કે ખરીદારો અને ઉત્પાદકોને એક છત્ર નીચે લાવવા માટે ગ્રીન હાઈડ્રોજન હબ વિકસાવવામાં આવશે.

ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે 60-100 ગીગાવોટની ઈલેક્ટ્રોલાઈઝર ક્ષમતા તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોલાઇઝરના ઉત્પાદન અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. ગ્રીન હાઇડ્રોજનના હબને વિકસાવવા માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


8 લાખ કરોડનું સીધું રોકાણ થશે અને 6 લાખ નોકરીઓનું સર્જન
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં માહિતી આપતા કહ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે આજે 19,744 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ મિશનથી 8 લાખ કરોડ રૂપિયાનું સીધું રોકાણ થશે અને 6 લાખ નોકરીઓનું સર્જન થશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow