રૅશન જ નહીં ફ્રી ડિશ TV પણ આપશે કેન્દ્ર સરકાર, જાણો કોને મળશે લાભ

રૅશન જ નહીં ફ્રી ડિશ TV પણ આપશે કેન્દ્ર સરકાર, જાણો કોને મળશે લાભ

કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રહેવા માટે ઘર અને ભોજન માટે રાશન તો આપવામાં આવે છે પણ હવે સરકારે નિર્ણય લીધો છે કે લોકોના મનોરંજન માટે ડીશ ટીવી પણ આપવામાં આવશે.જણાવી દઈએ કે આ માટે એક યોજના તૈયાર કરી લેવામાં આવી છે, જેના પર લગભગ 2539 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોની હાલત સુધારવાની દિશામાં સરકારે આ યોજના લોન્ચ કરી છે.

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ લોકોને ફ્રીમાં ડિશ ટીવી આપવામાં આવશે જેમાં લોકો કોઈપણ ખર્ચ વિના તેમની મનપસંદ ચેનલ જોઈ શકશે, જે આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોની સ્થિતિમાં સુધાર લાવવા માટે આ પહેલ કરી છે જેમાં કુલ 2539 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને તેને બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ નામ આપવામાં આવ્યું છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા પણ તેને મંજૂરી આપવામાં આવી છે. 2025-26 સુધી આ યોજનાનો લાભ લઈ શકાય છે અને આગળ જતાં તેને વધારી પણ શકાય છે.

BIND યોજના હેઠળ ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો, સરહદ અને વ્યૂહાત્મક વિસ્તારો સહિત તેમની પહોંચને વિસ્તૃત કરીને શ્રોતાઓ અને દર્શકોને ઉચ્ચ ગુણવત્તાનું કન્ટેન્ટ પ્રદાન કરવામાં આવશે. જણાવી દઈએ કે દૂરદર્શન 28 પ્રાદેશિક ચેનલો સહિત 36 ટીવી ચેનલોનું સંચાલન કરે છે અને ઓલ ઈન્ડિયા રેડિયો 500 થી વધુ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનોનું સંચાલન કરે છે.આ યોજના દેશમાં AIR FM ટ્રાન્સમિટર્સનો કવરેજ ભૌગોલિક રીતે 59 ટકાથી વધારીને 66 ટકા અને વસ્તી મુજબ 68 ટકાથી 80 ટકા સુધી વધારશે.

આ યોજના દૂરસ્થ, આદિવાસી, LWE પ્રભાવિત અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને 8 લાખથી વધુ ડીડી ફ્રી ડીશ એસટીબીના મફત વિતરણની પણ કલ્પના કરે છે. બ્રોડકાસ્ટિંગના કવરેજને વધારવા ઉપરાંત પ્રસારણ સાધનોના સપ્લાય અને ઇન્સ્ટોલેશનને લગતી ઉત્પાદન અને સેવાઓ દ્વારા પરોક્ષ રોજગાર પેદા કરવાની પણ શક્યતા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow