કેલિફોર્નિયામાં ફાયરિંગનો શંકાસ્પદ હુમલાખોર માર્યો ગયો!

કેલિફોર્નિયામાં ફાયરિંગનો શંકાસ્પદ હુમલાખોર માર્યો ગયો!

અમેરિકાના કેલિફોર્નિયામાં 21 જાન્યુઆરીએ થયેલા ફાયરિંગના કેસમાં પોલીસને એક વેનમાં હુમલાખોરનો મૃતદેહ મળ્યો છે. લોસ એન્જલસ ટાઇમ્સે અહેવાલ મુજબ હુમલાખોરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. જો કે પોલીસે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હુમલાખોરની શોધમાં પોલીસ શનિવારે મોડી રાતથી સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. તેમને માહિતી મળી હતી કે શંકાસ્પદ હુમલાખોર સફેદ રંગની વાનમાં ભાગી ગયો છે. પોલીસે આ વાનને જોતા જ તેને ઘેરી લીધી હતી. હુમલાખોર એશિયન મૂળનો હોવાનું કહેવાય છે. તેણે કયા કારણોસર હુમલો કર્યો તે જાણી શકાયું નથી.

અમેરિકાના કેલિફોર્નિયામાં 21-22 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે માસ ફાયરિંગની ઘટના બની હતી. અહીં મોન્ટેરી પાર્ક વિસ્તારમાં સ્થિત એક ડાન્સ હોલમાં લુનર નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી. આ દરમિયાન એક હુમલાખોરે અહીં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 10 લોકોના મોત થયા હતા. જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃત્યુ પામેલાઓમાં 5 મહિલાઓનો સમાવેશ થાય છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, મોન્ટેરી પાર્ક વિસ્તારમાં ડાન્સ હોલમાં હુમલો કર્યાના 20 મિનિટ પછી, હુમલાખોર અલ્હામ્બ્રા વિસ્તારમાં આવેલા અન્ય ડાન્સ હોલમાં ઘુસ્યો હતો. અહીં હાજર લોકો સાથે તેની ઝપાઝપી થઈ હતી. લોકોએ તેની પિસ્તોલ છીનવી લીધી હતી, ત્યારબાદ તે ત્યાંથી નાશી ગયો હતો.

આ ઘટનાને નજરેજોનાર એક વ્યક્તિએ કહ્યું- એક એશિયન વ્યક્તિ હોલમાં ઘુસ્યો હતો. તેના હાથમાં બંદૂક હતી. અમે તેની બંદૂક છીનવી લેવાનો પ્રયાસ કર્યો. અમે બંદૂક છીનવી લેતા જ તે સફેદ રંગની વાનમાં ભાગી ગયો હતો. અમે પોલીસને આ સંપૂર્ણ માહિતી આપી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow