ચાલતી ટ્રેનની બારીમાંથી આવ્યું મોત..! બારી પાસે બેઠેલા વ્યક્તિના માથામાં લોખંડનો સળીયો ઘૂસી ગયો… કઠણ કાળજા વાળા લોકો જ વાંચજો…

ચાલતી ટ્રેનની બારીમાંથી આવ્યું મોત..! બારી પાસે બેઠેલા વ્યક્તિના માથામાં લોખંડનો સળીયો ઘૂસી ગયો… કઠણ કાળજા વાળા લોકો જ વાંચજો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટ્રેનમાં શાંતિથી બેસીને મુસાફરી કરી રહેલા એક વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે કોઈ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આ ચોક આવનારી ઘટના નીલાંચલ એક્સપ્રેસમાં બની હતી. અહીં ટ્રેનમાં મારી પાસે બેસીને મુસાફરી કરી રહેલા એક વ્યક્તિના માથામાં અચાનક જ ઉછળીને આવેલો લોખંડનો સળીયો ઘૂસી ગયો હતો.

મળતી માહિતી અનુસાર પાટા ઉપર પડેલો લોખંડનો સળિયો ઉછળીને બારીમાંથી અંદર આવ્યો હતો અને મારી પાસે બેસીને મુસાફરી કરી રહેલા યુવકના માથામાં ઘૂસી ગયો હતો. આ કારણોસર યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટના બનતા આજે ચાલતી ટ્રેનમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. બળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે ટ્રેનની સ્પીડ 110 કિમી/કલાકની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ ઘટના બનતા જ ટ્રેનમાં યુવકના મોતની ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. અચાનક યુવક સાથે શું થયું તે ટ્રેનમાં હાજર લોકોને કાંઈ સમજાતું ન હતું. આ ઘટના બનતા જ અન્ય પ્રવાસીઓએ ટ્રેનની ચેન ખેંચી લીધી હતી અને ટ્રેનને ઉભી રાખી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ GRP અને RPFને કરવામાં આવી હતી. પછી મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.

આ ઘટના ઉત્તર પ્રદેશના અલીગઢમાં બની હતી. આ ઘટનામાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા હરિકેશ ડુબે નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સુલતાનપુરના ગોપીનાથપુરા ગામનો રહેવાસી છે. ગુરૂવારના રોજ તે પોતાના ઘરે જવા માટે દિલ્હીથી સુલતાનપુરા જતી ટ્રેનમાં બેઠો હતો. ટ્રેન જ્યારે અલીગઢમાં હતી ત્યારે આ સમગ્ર ઘટના બની હતી.

આ ઘટનામાં હરી કેસની બાજુમાં બેઠેલી મહિલા માંડ માંડ બચી હતી. મળતી માહિતી અનુસાર હરિકેશ બારી પાસે બેઠો હતો. તેની બાજુમાં બેઠેલી મહિલાએ જણાવ્યું કે ટ્રેન ખૂબ જ સ્પીડમાં હતી. ત્યારે અચાનક જ તેની બાજુમાં બેઠેલા વ્યક્તિના માથામાં લોખંડનો સળીયો ઘૂસી ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે રેલવે ટ્રેક પર એક લોખંડનો સળિયો પડેલો હતો. જ્યારે ટ્રેન ત્યાંથી પસાર થાય છે ત્યારે ત્યાંથી ઉછળીને ટ્રેનની બારી પાસે બેઠેલા વ્યક્તિના માથામાં ઘૂસી જાય છે અને તે વ્યક્તિનું ઘટના સ્થળે મોત થાય છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow