સીઇઓ પદેથી સગાભાઈને હટાવવા ભાઇ, ભાભીએ કાવતરું રચી છેતરપિંડી આચરી

સીઇઓ પદેથી સગાભાઈને હટાવવા ભાઇ, ભાભીએ કાવતરું રચી છેતરપિંડી આચરી

જામનગરની ઓશિયાની ફુડ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓને તેના પદ પરથી દૂર કરવા સગાભાઇ અને કંપનીના ચેરમેન, તેના પત્ની અને કંપની સેક્રેટરીએ ષડયંત્ર રચી ખોટા દસ્તાવેજો ઊભા કરી છેતરપિંડી આચરી હતી. આ મામલે સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના પ્રહલાદનગરના સામર્થ્ય હાઇટ્સમાં રહેતા ઓશિયાની ફુડ્સ પ્રા.લી.ના સીઇઓ તુલન વિનોદરાય પટેલે (ઉ.વ.45) રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કંપનીના ચેરમેન અને તેના સગા ભાઇ જામનગરના પાર્ક કોલોનીમાં આવેલા સીમંધર હાઇટ્સમાં રહેતા વિનોદરાય પટેલ, ભાભી ફોરમ ઉર્ફે દર્ષિતા અજેશ પટેલ તથાં કંપનીના સેક્રેટરી શ્રીનીવાસ અનિલ જાનીના નામ આપ્યા હતા. તુલન પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઓશિયાના ફુડસ લી.ના તેઓ 52 ટકા શેર ધરાવે છે અને કંપનીમાં 2018થી મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ તરીકે ફરજ બજાવે છે, તેના મોટાભાઇ અજેશ પટેલ ડાયરેક્ટર અને ચેરમેન તરીકે ફરજ બજાવે છે, અજેશની પત્ની ફોરમ કંપનીમાં કોઇ હોદ્દો ધરાવતી નથી છતાં તે કંપનીના તમામ વહીવટોમાં દખલગીરી કરે છે.

વર્ષ 2019માં પરિવારમાં મતભેદો શરૂ થયા હતા અને ભાઇ-ભાભી કંપનીના વહીવટ અને મિલકત બાબતે ઝઘડા કરતા હતા અને તેમના માતાને મારકૂટ પણ કરી હતી, પારિવારિક ઝઘડાથી કંટાળી તુલન પટેલે કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેની સેબીમાં જાણ પણ કરી દીધી હતી જોકે ત્યારબાદ પરિવારના અન્ય સભ્યોની સમજાવટથી તુલન પટેલે રાજીનામું પરત ખેંચી લીધું હતું અને તે અંગેની પણ સેબી સહિત તમામ જરૂરી તંત્રમાં જાણ કરી હતી, પરંતુ અજેશ ભાભી દર્શિતા અને કંપનીના સેક્રેટરી શ્રીનિવાસ જાનીએ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગના એજન્ડામાં ફેરફાર કરી તુલન પટેલનું મેનેજિંગ ડિરેક્ટર તરીકે રાજીનામું દર્શાવી કંપનીના શેર હોલ્ડર્સ તથા ગ્રાહકોને ખોટી માહિતી આપી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow