રશિયામાં સ્કૂલોમાં બાળકોનું બ્રેઈનવૉશ!

રશિયામાં સ્કૂલોમાં બાળકોનું બ્રેઈનવૉશ!

રશિયાની સ્કૂલોમાં દેશભક્તિના પાઠ ભણાવાય છે. એક રીતે તેઓનું બ્રેઈનવૉશ કરાય છે કે યુક્રેન પર હુમલો યોગ્ય અને જરૂરી હતો. છેલ્લા બે મહિનાથી ‘કન્વર્શેસન અબાઉટ ઇમ્પોર્ટંટ થિંગ્સ’ નામથી રશિયા દરેક સ્કૂલમાં વિશેષ વર્ગ ચલાવી રહ્યું છે. તેમાં જણાવાય છે કે કેમ રશિયન સૈનિકો દ્વારા યુક્રેની વિસ્તારો પર કબજો કરવો ઐતિહાસિક ન્યાય છે. તેની પાછળ તર્ક અપાય છે કે યુક્રેન મૂળ રીતે રશિયાનો જ હિસ્સો હતો. આ વર્ગમાં ગેરહાજર રહેનારા બાળકો, માતા-પિતા અને શિક્ષકો પર સરકાર કાર્યવાહી કરી રહી છે.

મૉસ્કોમાં આ પ્રકારના વિશેષ વર્ગમાં ગેરહાજર રહેનાર 10 વર્ષીય વાર્યા શોલિકરના રિપોર્ટને યૂથ વેલફેર ઓફિસને મોકલાયો હતો. ત્યારબાદ તેના માતા-પિતાને ઓફિસે બોલાવીને જબરદસ્તીથી મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ કરાવાયું હતું. તેના ઘરની પણ તપાસ કરાઇ હતી. ઘરમાં અંદર થઇ રહેલા લીલા અને પીળા રંગને આપત્તિજનક દર્શાવાયો હતો, કારણ કે આ રંગ યુક્રેનના ધ્વજમાં છે.

બાળકીના લેપટોપ અને ઇન્ટરનેટ ગતિવિધિઓની તપાસ કરાઇ હતી. આરોપ કરાયો કે બાળકી લેપટોપ પર ઉગ્રવાદી ચેનલ જોઇ રહી હતી તેમજ સોશિયલ મીડિયા પર યુક્રેન સમર્થિત મીમ્સ પોસ્ટ કરી રહી હતી. આવા વર્ગથી દૂર રહેનારા શિક્ષકોને પણ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષક તાટયાના ચેરવેન્કો પર ટ્રાયલ ચાલી રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow