1930માં થયેલા ક્રેશમાં UFO સાથે મૃતદેહો પણ મળ્યા હતા

1930માં થયેલા ક્રેશમાં UFO સાથે મૃતદેહો પણ મળ્યા હતા

બુધવારે યુએસ સંસદમાં યુએફઓ અને એલિયન્સને લઈને સુનાવણી થઈ હતી. દરમિયાન યુએસ નેવીના ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી નિવૃત્ત મેજર ડેવિડ ગ્રશે દાવો કર્યો હતો કે અમેરિકા ઘણાં વર્ષોથી યુએફઓ અને એલિયન્સ સંબંધિત માહિતી છુપાવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકા આ ​​UFOના રિવર્સ એન્જિનિયરિંગ પર કામ કરી રહ્યું છે.

ધ ગાર્ડિયન અનુસાર, મેજર ગ્રશ 2022ના અંત સુધી યુએસ ડિફેન્સ એજન્સી માટે UAP (UFOs સંબંધિત શંકાસ્પદ ઘટનાઓ)નું વિશ્લેષણ કરતા હતા. તેમણે કહ્યું હતું કે સરકારે એલિયન્સ શોધી કાઢ્યા છે અને તેમના અવકાશયાન પર ગુપ્ત સંશોધન કરી રહી છે.

ગ્રશે કહ્યું હતું કે તેમના કામ દરમિયાન જ તેઓ ક્રેશ થયેલા UFOના સંશોધન અને રિવર્સ એન્જિનિયરિંગ પ્રોગ્રામથી વાકેફ થયા હતા, જે ઘણાં વર્ષોથી ચાલી રહ્યું હતું. જોકે તેમને કાર્યક્રમ જોવાની મંજૂરી આપવામાં આવી ન હતી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પેન્ટાગોને આ દાવાઓને ફગાવી દીધા છે. પેન્ટાગોને કહ્યું હતું કે અમેરિકાએ ક્યારેય એલિયન્સ સંબંધિત કોઈ કાર્યક્રમ ચલાવ્યો નથી અને હવે એવું કંઈ થતું નથી.

એલિયનના જીવન પર આ અત્યારસુધીની સૌથી હાઇપ્રોફાઈલ સુનાવણી હતી. સંસદમાં ગ્રશે એવો પણ દાવો કર્યો હતો કે 1930ના ક્રેશમાં અન્ય ગ્રહ પરથી અવકાશયાન મળી આવ્યું હતું. એની સાથે એક શરીર પણ હતું, એ મનુષ્યનું નહોતું. તેણે કહ્યું હતું કે તેને આ માહિતી યુએસના આ કાર્યક્રમમાં સીધા સામેલ અધિકારીઓ દ્વારા મળી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે યુએસ સરકાર 1930થી આ કાર્યક્રમ ચલાવી રહી છે.

મેજર ગ્રશે જણાવ્યું હતું કે સરકારી વ્હિસલબ્લોઅર સાથે જોડાયેલા ખુલાસાથી તેમને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમને વ્યાવસાયિક અને વ્યક્તિગત બંને સ્તરે વિરોધનો સામનો કરવો પડ્યો છે. ગ્રશે એમ પણ કહ્યું હતું કે આ કારણે તેનો જીવ પણ જોખમમાં મુકાઈ ગયો છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow