ગ્રાહકોને મોટો ઝટકો: આ બેંક પાસેથી લીધી છે હોમ લોન તો હવેથી ચૂકવવી પડશે વધારે EMI, જાણો કારણ

ગ્રાહકોને મોટો ઝટકો: આ બેંક પાસેથી લીધી છે હોમ લોન તો હવેથી ચૂકવવી પડશે વધારે EMI, જાણો કારણ

પબ્લિક સેક્ટરની Union Bank of Indiaએ તમામ મુદત માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જેના કારણે હોમ લોન EMI વધશે. આ નવા રેટ 11 ડિસેમ્બર 2022થી લાગુ થશે.

હવે MCLR બેન્ચમાર્ક 7.50% થી 8.60% રહેશે. નવા વ્યાજ દર 10 જાન્યુઆરી 2023 સુધી ચાલુ રહેશે. વધુમાં બેંકે તેના બાહ્ય બેન્ચમાર્ક ઉધાર દરોમાં સુધારો કર્યો છે જે રેપો રેટ સાથે જોડાયેલા છે.

10 જાન્યુઆરી સુધી જાહેર થશે નવા વ્યાજદર
હવે યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં MCLR બેન્ચમાર્ક 7.50% થી 8.60% રહેશે. નવા વ્યાજ દર 10 જાન્યુઆરી 2023 સુધી જાહેર રહેશે. તેથી હોમ લોન લેનારાઓ માટે વ્યાજ દરો તે મુજબ બદલાયા છે. જો કે, તમે જે EMI ચૂકવશો તે તમારા CIBIL સ્કોર પર નિર્ભર રહેશે.

બેંકે MCLRના દરોમાં કર્યો વધારો
બેંકની વેબસાઇટ મુજબ 11 ડિસેમ્બરથી 3-વર્ષનો MCLR દર 8.60% છે, જ્યારે 2-વર્ષ અને 1-વર્ષના સમયગાળા માટે MCLR અનુક્રમે 8.45% અને 8.25% રહેશે.

લોન આપનાર છ મહિના માટે 8.05% MCLR ઓફર કરે છે, જ્યારે દર 3 મહિના માટે 7.85%, એક મહિના માટે 7.65% અને ઓવરનાઈટ માટે 7.50% છે. આ સિવાય 11 ડિસેમ્બરથી એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ 9.05% રહેશે.

ક્રેડિટ સ્કોર જેટલો સારો, તેટલી ઓછી EMI
તમારો ક્રેડિટ સ્કોર જેટલો વધુ હશે હોમ લોનના દર તેટલા ઓછા હશે. હોમ લોન પર, યુનિયન બેંકે જણાવ્યું હતું કે અપ્રૂવ્ડ રેટ દરેક નવા યુનિયન હોમ અને યુનિયન હોમ લોન ગ્રાહકો માટે પ્રભાવી રહેશે.

800 અને તેથી વધુનો ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો માટે, પગારદાર અને નોન-સેલેરી પુરુષો અને સ્ત્રીઓ બંને માટે હોમ લોનનો દર 8.60% નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે 750 થી 799 સુધીના ક્રેડિટ સ્કોર માટે, આ દર 8.70% છે.

650 થી 749 ના ક્રેડિટ સ્કોર પર હોમ લોનના દર વેતનભોગી મહિલાઓ માટે હોમ લોન દર 9.05% થી 9.20% સુધી હોય છે. જ્યારે નોન-સેલેરી મહિલાઓ માટે દર 9.10% થી 9.25% સુધીની છે. બીજી બાજુ પગારદાર પુરુષો માટે દર 9.10% થી 9.25% અને નોન-સેલેરી માટે 9.15% થી 9.30% સુધી બદલાય છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow