PhonePe-Google Payને મોટી રાહત! NPCIના આ નિર્ણયથી ગ્રાહકોને પેમેન્ટ લિમિટમાં થશે મોટો ફાયદો

PhonePe-Google Payને મોટી રાહત! NPCIના આ નિર્ણયથી ગ્રાહકોને પેમેન્ટ લિમિટમાં થશે મોટો ફાયદો

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ PhonePe અને Google Pay જેવી યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) એપ્સને મોટી રાહત આપી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI એપ્સ માટે 30 ટકા માર્કેટ શેરના નિયમનું પાલન કરવાની સમયમર્યાદા બે વર્ષ વધારીને 31 ડિસેમ્બર, 2024 કરી છે.

હકીકતમાં સરકારે UPI માર્કેટમાં કેટલીક મોટી કંપનીઓના દબદબાને રોકવા માટે મહત્તમ 30% માર્કેટ શેરનો નિયમ લાવ્યો હતો. આ અંતર્ગત UPI સર્વિસ આપતી કંપની પાસે 30% થી વધુ માર્કેટ શેર ન રાખી શકાય. ભારતીય બજારમાં UPI આધારિત ટ્રાન્ઝેક્શનો સૌથી મોટો હિસ્સો Google Pay અને PhonePe પાસે છે.

80% UPI ટ્રાન્ઝેક્શન PhonePe અને Google Pay દ્વારા થાય છે
NPCIએ આ નિયમનું પાલન કરવા માટે UPI એપ્સને 31 ડિસેમ્બર 2022 સુધીનો સમય આપ્યો હતો. જો કે હવે સમય મર્યાદા બે વર્ષ માટે લંબાવવામાં આવી છે. હાલમાં દેશમાં લગભગ 96% UPI ટ્રાન્ઝેક્શન માત્ર ત્રણ એપ દ્વારા થાય છે. તેમાં PhonePe, Google Pay અને Paytm સામેલ છે. તેમાંથી લગભગ 80% UPI ટ્રાન્ઝેક્શન માત્ર બે એપ્સ - PhonePe અને Google Pay દ્વારા થાય છે.

સમયમર્યાદા 2 વર્ષ વધારી
NPCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે UPIના વર્તમાન ઉપયોગ, તેના ભાવિષ્યના ગ્રોથની સંભાવના અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને, અમે થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્સ માટે માર્કેટ વોલ્યુમ કેપનું પાલન કરવા માટેની સમયમર્યાદા 2 વર્ષ એટલે કે 31 ડિસેમ્બર 2024 સુધી લંબાવી દીધી છે.

UPI એપથી સંબંધિત નવા ડેટા મુજબ, ઓક્ટોબરમાં લગભગ 47% UPI ટ્રાન્ઝેક્શન PhonePe દ્વારા થયા હતા. ત્યાં જ લગભગ 34 ટકા UPI ટ્રાન્ઝેક્શન Google Pay પરથી કરવામાં આવ્યા હતા, જ્યારે Paytmનો હિસ્સો 15% હતો.

Paytm માટે ફાયદાનો સોદો
UPI માર્કેટમાં Amazon Pay, WhatsApp Pay સહિત અન્ય ઘણી એપ્સ છે. પરંતુ તેમનો માર્કેટ શેર ઘણો ઓછો છે. યુઝર્સ આ ટોપ-3 કંપનીઓ સાથે બની રહ્યા છે. 30% માર્કેટ કેપ નિયમ જ્યાં PhonePe અને Google Payને અસર થઈ શકે છે. બીજી બાજુ તે Paytm માટે ફાયદાકારક સોદો માનવામાં આવે છે કારણ કે આ નિયમના અમલીકરણ પછી, Paytm ના UPI ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં મોટો ઉછાળો જોવાની અપેક્ષા છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow