ભારત પાસેથી પિનાકા રોકેટ અને મિસાઈલ ખરીદશે આર્મેનિયા

ભારત પાસેથી પિનાકા રોકેટ અને મિસાઈલ ખરીદશે આર્મેનિયા

અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે યુદ્ધ યથાવત છે. આ દરમિયાન આર્મેનિયાએ ભારત પાસેથી હથિયાર ખરીદવા માટે ડીલ કરી છે. આર્મેનિયા કુલ 2 હજાર કરોડ રૂપિયાના મિસાઈલ, રોકેટ અને દારૂગોળા સહિત પિનાકા લોન્ચર ભારત પાસેથી ખરીદશે.

ભારતની સાથે ડીલ કરવાથી આર્મેનિયાની સૈન્ય શક્તિ મજબૂત બનશે. તેમજ ભારતમાં શસ્ત્ર ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. સૌથી પહેલા ભારત પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર મોકલશે. તેને સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ભારતીય પિનાકા રોકેટ સિસ્ટમ મેળવનાર આર્મેનિયા પહેલો વિદેશી દેશ હશે.

આર્મેનિયા તરફથી ડિફેન્સ સેક્ટરમાં આ ડીલ ભારતમાં હથિયારોની નિકાસ વધારવા માટે આગળ લઈ જઈ રહ્યો છે. ભારત સરકારે 2025 સુધીમાં 35 હજાર કરોડ રૂપિયાના શસ્ત્રો વેચવાનું લક્ષ્ય રાખ્યું છે. એક રિપોર્ટ અનુસાર, 2021માં ભારતે 13 હજાર કરોડ રૂપિયાના શસ્ત્રોનું વેચાણ કર્યું હતું.

દેશમાં વિકસિત પિનાકા મિસાઈલનું આ ત્રીજું વર્ઝન છે. પ્રથમ બે વર્ઝનની રેન્જ 40 અને 75 કિમી હતી. આ એડવાન્સ વર્ઝનની રેન્જ 120 કિમી છે. આ મિસાઈલમાં એડવાન્સ નેવિગેશન અને કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ કારણે ફાયરપાવર ખૂબ જ સચોટ બન્યું છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow