ભારત છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછું રશિયન-તેલ ખરીદશે

ભારત છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછું રશિયન-તેલ ખરીદશે

ભારતની રશિયન તેલની આયાત ડિસેમ્બરમાં ત્રણ વર્ષના નીચલા સ્તરે આવી શકે છે. હાલમાં ભારત રશિયા પાસેથી લગભગ 18 લાખ બેરલ પ્રતિ દિવસ (bpd) ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે. ડિસેમ્બરમાં તે 6-6.5 લાખ bpd રહેવાનો અંદાજ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય રિફાઇનરી કંપનીઓએ અમેરિકી, યુરોપિયન અને બ્રિટિશ પ્રતિબંધોનું ઉલ્લંઘન ન થાય તે માટે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં ઝડપથી ઘટાડો કરવાનું શરૂ કરી દીધું છે.

રિફાઇનર્સ હવે રશિયન તેલના વૈકલ્પિક સ્ત્રોત શોધી રહ્યા છે. રશિયા પાસેથી તેલ ન ખરીદવાનું મુખ્ય કારણ અમેરિકા અને યુરોપિયન યુનિયનના રશિયા પરના તાજા પ્રતિબંધો છે.

US–EU પ્રતિબંધો પછી કડકાઈ

અમેરિકાના તાજા પ્રતિબંધમાં રશિયાની બે મોટી તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર કડકાઈ કરવામાં આવી છે. ખરીદદારોને 21 નવેમ્બર સુધીમાં આ કંપનીઓ સાથેના વ્યવહારો બંધ કરવા જણાવાયું હતું. જ્યારે યુરોપિયન યુનિયને 21 જાન્યુઆરી 2026ની અંતિમ તારીખ નક્કી કરી છે.

આ પછી, કોઈપણ રિફાઇનરી દ્વારા 60 દિવસ પહેલાના રશિયન ક્રૂડને પ્રોસેસ કરીને બનેલા ઇંધણને યુરોપમાં વેચી શકાશે નહીં.

ભારતીય બેંકોએ તપાસ વધારી

આ જ પ્રતિબંધોને કારણે અમેરિકા અને યુરોપમાંથી થતા ટ્રાન્ઝેક્શનની ભારતીય બેંકોમાં તપાસ પણ સઘન બની છે. જેના કારણે ભારતના સરકારી રિફાઇનરો પણ એલર્ટ થઈ ગયા છે.

મોટાભાગના ભારતીય રિફાઇનરોએ રશિયન તેલની ખરીદી બંધ કરી દીધી છે. મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ (MRPL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને HPCL–મિત્તલ એનર્જી હવે રશિયા પાસેથી તેલ લઈ રહ્યા નથી.

Read more

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગે

By Gujaratnow
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે (2 ડિસેમ્બર) લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ક્રિ

By Gujaratnow
દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડી

By Gujaratnow