ભારત અને પાકિસ્તાનના ગ્રુપમાં નેધરલેન્ડ

ભારત અને પાકિસ્તાનના ગ્રુપમાં નેધરલેન્ડ

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ક્વોલિફાઈંગ ગ્રુપ-એની મેચ હવે પૂરી થઈ ગઈ છે. ગુરુવારે આ ગ્રુપમાં શ્રીલંકાએ નેધરલેન્ડને 7 રનથી અને UAEએ નામ્બિયાને હરાવ્યું હતું. આ રીતે શ્રીલંકાની ટીમ 3 મેચમાં 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. નેધરલેન્ડ ભલે શ્રીલંકા સામે હારી ગયું હોય, પરંતુ પ્રથમ બે મેચમાં જીતને કારણે તેના પણ 3 મેચમાંથી 4 પોઈન્ટ છે. સારા નેટ રન રેટના આધારે શ્રીલંકા પ્રથમ અને નેધરલેન્ડ બીજા ક્રમે છે.

141 રન જ બનાવી શકી નામ્બિયા

UAEએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પહેલા બેટિંગ કરતા UAEએ 3 વિકેટે 148 રન કર્યા હતા. તો શ્રીલંકા જેવી ટીમને હરાવીને ટૂર્નામેન્ટની શરૂઆત કરનાર નામ્બિયાની ટીમ 8 ઓવરમાં 141 રન જ બનાવી શકી હતી અને 7 રન હારી ગઈ હતી.

ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડના ગ્રુપમાં શ્રીલંકાની ટીમને સ્થાન મળ્યું

શ્રીલંકાએ ક્વોલિફાઈંગ ગ્રુપ-એમાં પ્રથમ સ્થાન મેળવીને સુપર-12માં ગ્રુપ 1 માટે ક્વોલિફાય કર્યું હતું. આ સાથે જ નેધરલેન્ડે ગ્રુપ 2માં જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પહેલેથી જ સુપર-12 ગ્રુપ 1માં હાજર છે. હવે તેમાં શ્રીલંકા પણ જોડાઈ ગયું છે.

સુપર-12 ગ્રુપ 2માં નેધરલેન્ડ ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ પછી પાંચમી ટીમ બની ગઈ છે. શુક્રવારના રોજ ક્વોલિફાઇંગ ગ્રુપ બીની મેચ પૂરી થયા પછી બન્ને ગ્રુપમાં છઠ્ઠી ટીમની ખબર પડશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow