કાર્તિક આર્યન પહેલાં આ એક્ટરને ઑફર કરાઇ હતી 'હેરાફેરી-3', જાણો એવું શું થયું કે ફિલ્મ રિજેક્ટ કરી

કાર્તિક આર્યન પહેલાં આ એક્ટરને ઑફર કરાઇ હતી 'હેરાફેરી-3', જાણો એવું શું થયું કે ફિલ્મ રિજેક્ટ કરી

હેરા ફેરી 3માં હવે અક્ષય કુમારની જગ્યા કોણ લેશે?

થોડા દિવસો પહેલા ફિલ્મ હેરાફેરી ખૂબ ચર્ચામાં હતી. ફિલ્મના ત્રીજા પાર્ટ એટલેકે હેરા ફેરી 3માં કાર્તિક આર્યનને અક્ષય કુમારની જગ્યાએ રિપ્લેસ કર્યો. જેને લઇને અક્ષય કુમારે પોતાની વાત મુકી હતી અને જણાવ્યું હતુ કે કેમ તેમણે રાજુના પાત્ર માટે ના પાડી દીધી હતી. જો કે, હવે સામે આવ્યું છે કે અક્ષય કુમારે ના પાડ્યા બાદ કાર્તિકને ફિલ્મમાં આવતા પહેલા નિર્માતાએ વરૂણ ધવનને રાજૂનો રોલ ઑફર કર્યો હતો. પરંતુ ભેડિયા એક્ટરે ના પાડી દીધી.

વરૂણ ધવનને ઑફર થઇ હતી હેરા ફેરી 3

એક રિપોર્ટ મુજબ આનંદ પંડિત અને ફિરોજ નાડિયાદવાલાએ હેરા ફેરી 3 માટે કાર્તિક આર્યન પહેલા વરૂણ ધવનનો એપ્રોચ કર્યો હતો. બંને ઈચ્છતા હતા કે ફિલ્મમાં અક્ષયનુ પાત્ર રાજુને વરૂણ નિભાવે. પરંતુ વરૂણે તેના માટે ના પાડી દીધી. સૂત્રના હવાલા પરથી રિપોર્ટમાં લખવામાં આવ્યું, વરૂણ, અક્ષય કુમારની દિલથી વધારે રિસ્પેક્ટ કરે છે અને અક્ષય-ફિરોજની સારી ઈક્વેશનનો ફાયદો ઉપાડીને સ્ટારડમની સિડી ચઢવા માંગતો નથી. હેરા ફેરી 3ને અત્યારથી બ્લોકબસ્ટર કહેવાઈ રહી છે. પરંતુ વરૂણ મુજબ માત્ર અક્ષય જ આ પાત્ર નિભાવી શકે છે, તેથી તેમણે ના પાડી દીધી.

ડેવિડને ઑફર થઇ હતી ફિલ્મ

મહત્વનું છે કે રિપોર્ટમાં એવુ પણ જણાવવામાં આવ્યું કે નિર્માતા ઈચ્છતા હતા કે માત્ર વરૂણ, રાજુનુ પાત્ર નિભાવે, પરંતુ ડેવિડ ધવન ફિલ્મને પુત્ર રોહિતની સાથે નિર્દેશિત પણ કરે. પરંતુ ડેવિડ ધવનને એેવુ જ ફીલ થયુ કે તેઓ તેની સાથે ન્યાય નહીં કરી શકે અને એવામાં તેમણે પણ ના પાડી દીધી. ઉલ્લેખનીય છે કે, હવે ફિલ્મ હેરાફેરી 3માં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન દેખાશે અને સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની સાથે તે દેખાશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow