બીજી T20માં બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું

બીજી T20માં બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું

ભારતીય મહિલા ટીમે બીજી T20 મેચમાં બાંગ્લાદેશને આઠ રને હરાવ્યું છે. આ સાથે તેમણે ત્રણ T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 95 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી દીપ્તિ શર્મા અને શેફાલી વર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. મિનુ મણીએ બે અને બેરેદ્દી અનુષાને એક વિકેટ મળી હતી. ત્રીજી T20 મેચ 13 જુલાઈના રોજ મીરપુરમાં જ રમાશે.

શેફાલી વર્માએ સૌથી વધુ 19 રનની ઇનિંગ રમી
ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ ભારતીય ટીમને 33 રનના સ્કોર પર પહેલો ફટકો લાગ્યો હતો. ઓપનર સ્મૃતિ મંધાના 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર ઝીરો આઉટ થઈ ગઈ હતી.

ટીમ તરફથી શેફાલી વર્મા (19)એ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમના સિવાય અમનજોત કૌરે 14, મંધાનાએ 13, યાસ્તિકા ભાટિયાએ 11 અને દીપ્તિ શર્માએ 10 રન બનાવ્યા હતા. આ પાંચ ખેલાડીઓ સિવાય અન્ય તમામ ખેલાડીઓ ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow