24 કલાક કામ-કામ કરતા હોવ તો સાવધાન!, નહીં તો ઘરથી ઑફિસના ચક્કરમાં બનશો આ ગંભીર બીમારીના ભોગ

24 કલાક કામ-કામ કરતા હોવ તો સાવધાન!, નહીં તો ઘરથી ઑફિસના ચક્કરમાં બનશો આ ગંભીર બીમારીના ભોગ

શું તમારો એવા લોકોમાં સમાવેશ થાય છે, જે ઓફિસથી ઘરે તો આવી જાય છે પરંતું સાથે સાથે કામ પણ લઈને આવે છે. ઘરે પણ તેમનુ મગજ માં કામ જ ચાલતું હોય છે. કામનું પ્રેશર તેમના પર જોવા મળે છે?  જો હા તો તમારે સાવધાન થઈ જવાની જરુર છે. આરોગ્ય નિષ્ણાંતોના મતે દિવસભર કામ વિશે વિચારવું અને વધુ પડતી ચિંતા કરવી તે તમારે શરીર પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. તેમજ તમારા સ્વાસ્થ્યને ભારે નુકશાન પહોચાડી શકે છે. જેનાથી તમારી કામ કરવાની કાર્યક્ષમતા ઓછી થાય છે. સાથે સાથે તમે તણાવ, ચિંતા અને હતાશા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે કેટલીક ટિપ્સનો ઉપયોગ કરી શકીએ છીએ.

વ્યસ્ત શિડ્યુલમાંથી થોડો બ્રેક લઈ ફ્રેશ થાઓ
ઘણા કલાકો સુધી કામ કર્યા પછી તણાવ અનુભવવો સામાન્ય છે. આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે, વ્યસ્ત શિડ્યુલમાંથી તમારા માટે થોડો સમય કાઢો અને થોડો બ્રેક લઈને તમે તણાવમાંથી દૂર થવાનો પ્રયત્ન કરો. તણાવમાંથી દૂર થવા માટે તમે મિત્રો સાથે વાત કરો, ફિલ્મ જોવો. જેથી તમે ફરી પ્રફુલ્લીત થઈને કામ કરી શકો.

ક્યારેય નકારાત્મક વિચારસરણી સાથે ન જીવો
કહેવાય છે કે આપણે જે વિચારીએ છીએ તે જ આપણી સાથે થાય છે. તેથી જ વ્યક્તિએ ક્યારેય નકારાત્મક વિચારસરણી સાથે જીવન ન જીવવું જોઈએ. તમારા કામ વિશે ક્યારેય નકારાત્મક ન બનો. આ તમારી કામ કરવાની ક્ષમતાને અસર કરશે. તે તમને માનસિક રીતે પણ પરેશાન કરી શકે છે. તેથી હંમેશા હકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારોથી દૂર રહો.


અમુક સમયે તમે વિરામ લો અને બહાર ફરવા જાઓ
દરરોજ કામ કરતી વખતે મગજ થાકી જાય છે. તેથી, જીવનની ધમાલથી દૂર ક્યાંક જવાનો પ્લાન બનાવો. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ફાયદો થાય છે. તેથી વચ્ચે વિરામ લેતા રહો અને પરિવાર અને મિત્રો સાથે આનંદ લેવાનું ભૂલશો નહીં.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow